December 1, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દિવાળીના પર્વ પર માઁ વિધાતા- માઁ વિશ્વંભરીના દર્શન કરવા માટે છેલ્લા કેટલાંય દિવસથી ભક્‍તોની સતત ભીડ ઉમટી પડી છે. લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યની વચ્‍ચે પાર નદીને કાંઠે આવેલા આ દિવ્‍ય ધામમાં માઁ વિધાતાના ચૈતન્‍ય સ્‍વરૂપના દર્શન કરીને અસંખ્‍ય લોકોએ ધન્‍યતા અનુભવી હતી. અહિ આ ધામે માઁનો દિવ્‍ય સંદેશ ‘‘અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા ફરો અને ઘરને એક મંદિર બનાવો” તેમજ કર્તવ્‍યકર્મ, કર્મભક્‍તિ, કર્મયોગી એમ ત્રણ ચરણની મૂળભૂત ભક્‍તિની પ્રેરણા મેળવીને આજે માત્ર ભારતવર્ષમાં જ નહી પણ વિદેશમાં રહેતા અસંખ્‍ય લોકો પોતાના ઘરને મંદિર બનાવીને સાત્‍વિક શક્‍તિની આરાધના કરવા લાગ્‍યા છે.
આ ધામેગીર ગાયની આદર્શ ગૌશાળામાંથી પ્રેરણા મેળવીને આજે લોકો પોતાના ઘર આંગણે ગાયોનું પાલન-પોષણ-જતન કરતા થયા છે. તેમજ અહિંયા આ ધામે સ્‍વચ્‍છતા શિષ્‍ટતા જોઈને લોકો પણ પોતાના જીવનમાં સ્‍વચ્‍છતા અને શિષ્‍ટતાનું પાલન કરતા થયા છે. આ ધામેથી જીવન જીવવાની સાચી કળાની શીખ મેળવીને અસંખ્‍ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્‍યું છે. આવા લોકોને પોતાના ઘરમાં જ ખરા અર્થની શાંતિ અને સ્‍વર્ગની અનુભૂતિ થવા લાગી છે. ભવસાગર પાર કરવા એટલે કે મોક્ષ પામવા માટે આ ધામ એક દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે.

Related posts

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

vartmanpravah

કોલક ડુંગરીવાળી ખાતે ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા અકસ્‍માતઃ પિતા તથા સાત વર્ષના બાળકનું કરૂણ મોત

vartmanpravah

વલસાડમાં જયેષ્ઠ નાગરિક મંડળની વાર્ષિક સભા યોજાઈ: 75 વર્ષથી વધુ વયના પેન્‍શનર્સનું સન્‍માન કરાયુ

vartmanpravah

ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત

vartmanpravah

Leave a Comment