October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દિવાળીના પર્વ પર માઁ વિધાતા- માઁ વિશ્વંભરીના દર્શન કરવા માટે છેલ્લા કેટલાંય દિવસથી ભક્‍તોની સતત ભીડ ઉમટી પડી છે. લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યની વચ્‍ચે પાર નદીને કાંઠે આવેલા આ દિવ્‍ય ધામમાં માઁ વિધાતાના ચૈતન્‍ય સ્‍વરૂપના દર્શન કરીને અસંખ્‍ય લોકોએ ધન્‍યતા અનુભવી હતી. અહિ આ ધામે માઁનો દિવ્‍ય સંદેશ ‘‘અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા ફરો અને ઘરને એક મંદિર બનાવો” તેમજ કર્તવ્‍યકર્મ, કર્મભક્‍તિ, કર્મયોગી એમ ત્રણ ચરણની મૂળભૂત ભક્‍તિની પ્રેરણા મેળવીને આજે માત્ર ભારતવર્ષમાં જ નહી પણ વિદેશમાં રહેતા અસંખ્‍ય લોકો પોતાના ઘરને મંદિર બનાવીને સાત્‍વિક શક્‍તિની આરાધના કરવા લાગ્‍યા છે.
આ ધામેગીર ગાયની આદર્શ ગૌશાળામાંથી પ્રેરણા મેળવીને આજે લોકો પોતાના ઘર આંગણે ગાયોનું પાલન-પોષણ-જતન કરતા થયા છે. તેમજ અહિંયા આ ધામે સ્‍વચ્‍છતા શિષ્‍ટતા જોઈને લોકો પણ પોતાના જીવનમાં સ્‍વચ્‍છતા અને શિષ્‍ટતાનું પાલન કરતા થયા છે. આ ધામેથી જીવન જીવવાની સાચી કળાની શીખ મેળવીને અસંખ્‍ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્‍યું છે. આવા લોકોને પોતાના ઘરમાં જ ખરા અર્થની શાંતિ અને સ્‍વર્ગની અનુભૂતિ થવા લાગી છે. ભવસાગર પાર કરવા એટલે કે મોક્ષ પામવા માટે આ ધામ એક દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે.

Related posts

દમણ એક્‍સાઈઝ વિભાગનું કડૈયા દરિયા કિનારે મધરાતે મોટું ઓપરેશનઃ એક ટેમ્‍પો અને હોડી સહિત મોટા જથ્‍થામાં દારૂની કરેલી જપ્તી

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

vartmanpravah

પ્રફુલભાઈ પટેલના જન્‍મદિવસ અને પ્રશાસક તરીકે 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ મોડર્ન સ્‍કૂલના બાળકોને કરાવેલા તિથિ ભોજન

vartmanpravah

વાપીમાં પંડિત શ્‍યામજી કૃષ્‍ણા વર્માની પ્રતિમાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે અનાવરણ

vartmanpravah

Leave a Comment