Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દિવાળીના પર્વ પર માઁ વિધાતા- માઁ વિશ્વંભરીના દર્શન કરવા માટે છેલ્લા કેટલાંય દિવસથી ભક્‍તોની સતત ભીડ ઉમટી પડી છે. લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યની વચ્‍ચે પાર નદીને કાંઠે આવેલા આ દિવ્‍ય ધામમાં માઁ વિધાતાના ચૈતન્‍ય સ્‍વરૂપના દર્શન કરીને અસંખ્‍ય લોકોએ ધન્‍યતા અનુભવી હતી. અહિ આ ધામે માઁનો દિવ્‍ય સંદેશ ‘‘અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા ફરો અને ઘરને એક મંદિર બનાવો” તેમજ કર્તવ્‍યકર્મ, કર્મભક્‍તિ, કર્મયોગી એમ ત્રણ ચરણની મૂળભૂત ભક્‍તિની પ્રેરણા મેળવીને આજે માત્ર ભારતવર્ષમાં જ નહી પણ વિદેશમાં રહેતા અસંખ્‍ય લોકો પોતાના ઘરને મંદિર બનાવીને સાત્‍વિક શક્‍તિની આરાધના કરવા લાગ્‍યા છે.
આ ધામેગીર ગાયની આદર્શ ગૌશાળામાંથી પ્રેરણા મેળવીને આજે લોકો પોતાના ઘર આંગણે ગાયોનું પાલન-પોષણ-જતન કરતા થયા છે. તેમજ અહિંયા આ ધામે સ્‍વચ્‍છતા શિષ્‍ટતા જોઈને લોકો પણ પોતાના જીવનમાં સ્‍વચ્‍છતા અને શિષ્‍ટતાનું પાલન કરતા થયા છે. આ ધામેથી જીવન જીવવાની સાચી કળાની શીખ મેળવીને અસંખ્‍ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્‍યું છે. આવા લોકોને પોતાના ઘરમાં જ ખરા અર્થની શાંતિ અને સ્‍વર્ગની અનુભૂતિ થવા લાગી છે. ભવસાગર પાર કરવા એટલે કે મોક્ષ પામવા માટે આ ધામ એક દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે.

Related posts

સરીગામ પંચાયતનુ શાસન અસ્‍થિરતા તરફ: સરપંચ સહદેવ વઘાતના અધ્‍યક્ષતા હેઠળ રજૂ થયેલું બજેટ 9 ની સામે 11 સભ્‍યોની બહુમતીથી નામંજૂર

vartmanpravah

ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્‍તારમાં પથરાયેલી ઓઈલ વેસ્‍ટની કાળી ચાદર

vartmanpravah

દાનહ અને દમણ દીવ જિલ્લાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ કાર્યક્રમ 2.0 અંતર્ગત કરાયેલી સ્‍વચ્‍છતા

vartmanpravah

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment