(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ-દમણ, તા.01
દાનહ-દમણમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં એકપણ કેસ સક્રિય નથી. અત્યાર સુધીમાં 5916 કેસ રીકવર થઇ ચુકયા છે, ત્રણ વ્યક્તિનું મોત થયેલ છે. દાનહમા આરટીપીસીઆરના 159 નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ એન્ટિજન 195 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી- સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામા આવ્યું હતું. જેમાં આજે 1317 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 395424 અને બીજોડોઝ 226647 વ્યક્તિઓને આપવામા આવ્યો છે કુલ 622071 લોકોને વેક્સીન આપવામાં આવી છે.