August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવ સહિત પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં કાઉન્‍સિલર બનીને રૂપિયા કમાવાની ભાવના રાખનારાઓના પુરા થયેલા દિવસો

હવે પ્રમાણિકતાથી નીતિ-નિયમોના દાયરામાં રહી પેટે પાટા બાંધી ગાંઠના ખર્ચી વિકાસની રાજનીતિનો શરૂ થયેલો નવો ટ્રેન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ,તા.02
દીવ નગરપાલિકાની વિદાય લઈ રહેલી ચૂંટાયેલી પાંખ માટે 2017થી 2022 સુધીના પાંચ વર્ષ તેમના કાર્યકાળ માટે બિન ઉત્‍પાદક રહ્યા હોવાનું સમજાય છે. ગત ચૂંટણીમાં કરેલા ખર્ચ જેટલા રૂપિયા પણ સરભર નહીં થતાં હવે પાલિકામાં કાઉન્‍સિલર બની કમાવાની ભાવના રાખનારાઓના દિવસો પુરા થયા હોવાની લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે.
પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમન અને પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે સંભાળેલા કાર્યભાર બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં માતબર રૂપિયા ખર્ચી પ્રમુખ પદમેળવનારાઓના દિવસો પુરા થયા છે. હવે પ્રમાણિકતાથી અને નીતિ-નિયમોના દાયરામાં રહી પેટે પાટા બાંધી વિકાસલક્ષી રાજનીતિનો ટ્રેન્‍ડ શરૂ થયો છે. જેના કારણે જેઓ ચૂંટણીમાં પૈસા ખર્ચી વિજેતા બનતા ઉમેદવારોના દિવસો પણ પુરા થયા છે.
આ વખતે દીવ નગરપાલિકામાં પણ પ્રમાણિક છબી ધરાવતા શિક્ષિત અને સેવાભાવી ઉમેદવારો તરફ લોકોનો ઝોક દેખાઈ રહ્યો છે. ચૂંટણીમાં પૈસા ખર્ચવાની જગ્‍યાએ સહમતિથી ઉમેદવારોની પસંદગી કરી સ્‍માર્ટ સીટી દીવને ચાર ચાંદ લગાવવાનો જુસ્‍સો આમજનતામાં પણ દેખાઈ રહ્યો છે. હવે આવતા દિવસોમાં દીવ નગરપાલિકાનું રાજકારણ કઈ દિશા તરફ શહેરને લઈ જવા ઈચ્‍છે છે તે પણ સ્‍પષ્‍ટ થઈ જશે.

Related posts

વલસાડની હરિયા પીએચસીમાં રૂ.76 લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્‍ધ થશે 

vartmanpravah

કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા નવા વર્ષની ઉજવણી અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું

vartmanpravah

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ હાલર પ્રાથમિક શાળામાં ભણતા દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબનું લોકાર્પણ કરાશે

vartmanpravah

વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા વીજ સ્‍માર્ટ મિટરનો વિરોધ કરાયો : કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સૌપ્રથમ વખત આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન 21મી માર્ચ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે તા.20મી માર્ચે પારનેરા ડુંગર પર આરોહણ- અવરોહણ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment