વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા રવિવારે મોંઘાભાઈ હોલમાં પરિવાર સ્નેહમિલન, રક્તદાન કેમ્પ અને નૂતનવર્ષની ઉજવણી એમ ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈ, વાપી, સેલવાસ, ઉમરગામના કચ્છીભાનુશાલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડથી મુંબઈ સુધી કચ્છી ભાનુશાલી પરિવારો મોટી સંખ્યામાં વસેલા છે. તમામ પરિવારોના ટ્રસ્ટ અને મંડળ વાપી, સેલવાસ, ઉમરગામમાં કાર્યરત છે. વલસાડ ભાનુશાલી સમાજ દ્વારા રવિવારે સ્નેહમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન, વિદ્યાર્થીઓને શિક્ષણ, માર્ગદર્શન અને રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમ સ્નેહમિલન સમારોહમાં સાંકળવામાં આવ્યા હતા. નવા ટ્રસ્ટીઓ હર્ષદભાઈ કટારીયા, કરસનભાઈ દામા, છગનભાઈ જોઈસર તથા ભુતપૂર્વ પ્રમુખ, ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત જોશીલા પ્રમુખ કાંતીભાઈ ભદ્રાએ સમાજની પ્રગતિ અને વિકાસ અંગે ઉદ્દબોધન કર્યું હતું તેમજ દાતાઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં 250 યુનિટ રક્તદાન પણ થયું હતું.