September 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા નવા વર્ષની ઉજવણી અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા રવિવારે મોંઘાભાઈ હોલમાં પરિવાર સ્‍નેહમિલન, રક્‍તદાન કેમ્‍પ અને નૂતનવર્ષની ઉજવણી એમ ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુંબઈ, વાપી, સેલવાસ, ઉમરગામના કચ્‍છીભાનુશાલી સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
વલસાડથી મુંબઈ સુધી કચ્‍છી ભાનુશાલી પરિવારો મોટી સંખ્‍યામાં વસેલા છે. તમામ પરિવારોના ટ્રસ્‍ટ અને મંડળ વાપી, સેલવાસ, ઉમરગામમાં કાર્યરત છે. વલસાડ ભાનુશાલી સમાજ દ્વારા રવિવારે સ્‍નેહમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રક્‍તદાન, વિદ્યાર્થીઓને શિક્ષણ, માર્ગદર્શન અને રક્‍તદાન કેમ્‍પ જેવા કાર્યક્રમ સ્‍નેહમિલન સમારોહમાં સાંકળવામાં આવ્‍યા હતા. નવા ટ્રસ્‍ટીઓ હર્ષદભાઈ કટારીયા, કરસનભાઈ દામા, છગનભાઈ જોઈસર તથા ભુતપૂર્વ પ્રમુખ, ટ્રસ્‍ટીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. નવનિયુક્‍ત જોશીલા પ્રમુખ કાંતીભાઈ ભદ્રાએ સમાજની પ્રગતિ અને વિકાસ અંગે ઉદ્દબોધન કર્યું હતું તેમજ દાતાઓનો આભાર માન્‍યો હતો. કાર્યક્રમમાં 250 યુનિટ રક્‍તદાન પણ થયું હતું.

Related posts

યુક્રેનમાં ફસેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્મા એર ઈન્‍ડિયાના વિશેષ ફલાઈટથી દિલ્‍હી પહોંચતા પરિવાર સહિત પ્રદેશને થયેલી હૈયાધરપત

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25-26મીએ કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દાનહના નરોલી ચેકપોસ્‍ટ સ્‍થિત ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્‍ડિયા લિ. કંપનીના કર્મચારીઓ પગારના મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

રાજ્‍યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે: ઉનાળામાં નવજાતશિશુઓ, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્‍યાન આપવું જોઈએ : ડો.વી.કે.દાસ

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ સામે જારી થયેલું ધરપકડ વોરંટ

vartmanpravah

Leave a Comment