April 20, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં અનુબંધમ પોર્ટલ અંગે માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: રાજ્ય સરકારની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની જિલ્લા રોજગાર વિનિમય કચેરી વલસાડ દ્વારા તા. ૬ ઓગસ્ટના રોજ વલસાડની અતુલ લિમિટેડ કંપની ખાતે અનુબંધમ પોર્ટલ અંગે મહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં અનુબંધમ પોર્ટલ દ્વારા યુવાનોને તેમની લાયકાત અને પસંદગી અનુરૂપ નોકરી માટે ખાલી જગ્યાઓની માહિતી અને ઓનલાઈન જોબફેર (ભરતીમેળા) દ્વાર ઓનલાઈન જોબ ઓનલાઇન પોર્ટલના માધ્યમથી મળી રહે તેમજ નોકરીદાતાઓને તેમની જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે તે માટે માહિતી અને માર્ગદર્શન આપાયું હતું. નોકરીદાતાઓ પોર્ટલ પર નોકરીદાતા તરીકે રજીસ્ટ્રેશન કરી પોર્ટલની નિ:શુલ્ક સેવાઓ જેવી કે ઓનલાઈન જોબફેર, જોબ પોસ્ટ, સર્ચ જોબસીકર, ઈ.આર. ૧ અને ૮૫% અન્ય પોર્ટલમાં આપેલ સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ સેમિનારમાં વલસાડ રોજગાર અધિકારીશ્રી પી.એલ.પટેલ, ધરમપુરના રોજગાર અધિકારીશ્રી એસ.આર.રાઠવા, અતુલ કંપનીના કર્મચારીઓ અને કોંટ્રાક્ટરો હાજર રહ્યા હતા.

Related posts

આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બની શકે છે

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

વાપી છીરીમાં વી.એચ.પી. અને બજરંગ દળનું વિરાટ સંમેલન યોજાયું

vartmanpravah

દાનહઃ ખરડપાડામાં મામલતદારની ટીમે ભંડારી પરિવારના ઘરનું કરેલું ડિમોલિશન

vartmanpravah

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

vartmanpravah

Leave a Comment