Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા સ્‍તરીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ચીખલીમાં તંત્રએ હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધી બંને બાજુના લારી-ગલ્લાવાળાના દબાણો હટાવ્‍યા

દબાણ કામ ચલાઉ ધોરણે કે પછી કાયમી ધોરણે દૂર કરવામાં આવ્‍યા તે મોટો સવાલ ઉભો થવા પામ્‍યો છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ચીખલીમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈને સાફ સફાઈ, રંગ રોગાન, શણગાર સહિતની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમ્‍યાન સ્‍થાનિક તંત્ર દ્વારા ચીખલીમાં ચીખલી વાંસદા રાજયધોરી માર્ગ ઉપર હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલસુધી માર્ગને બંને બાજુના સંખ્‍યાબંધ દબાણો દૂર કરવામાં આવતા સમગ્ર વિસ્‍તાર ચોખ્‍ખો થઈ જવા પામ્‍યો છે. તંત્રને હમણાં સુધી આ દબાણો નજરે પડયા ન હતા કે કેમ? હાલમાં જે સંખ્‍યા બંધ લારી-ગલ્લાવાળાઓના દબાણો હંગામી કે કાયમી ધોરણે દૂર કરવામાં આવ્‍યા છે. તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.જોકે દબાણો દૂર કરાતાની સાથે જલોકોની રોજગારીનો પ્રશ્ન આગળ ધરી કેટલાક નેતાઓ કુદી પડી અધિકારીઓને ફોન રણકાવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું.
ચીખલી હાઇવે ચાર રસ્‍તાથી કોલેજ સર્કલ સુધીમાં આડેધડ વાહન પાર્કિંગ લારી ગલ્લાવાળાઓના દબાણને પગલે દિવસે દિવસે ટ્રાફિકની સમસ્‍યા જટિલ બની રહી છે.તાલુકા સેવા સદનની સામે તો કેટલાક ફળની લારી વાળાઓ આગળ પાછળ બધી બાજુએ મોટી જગ્‍યા રોકી લઈ મોટાપાયે દબાણ કરવામાં આવે છે.લોકોને રોજગારી પણ મળવી જોઈએ પરંતુ ટ્રાફિક સમસ્‍યા ન સર્જાઈ તેને પણ ધ્‍યાનમાં રાખી તંત્ર દ્વારા સ્‍થાનિક પંચાયત સાથે સંકલન કરી એક ચોક્કસ માપ સાથેની જગ્‍યા નિયત કરવી જોઈએ.
હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધીનું જે દબાણ તંત્ર દ્વારા દુર કરવામાં આવ્‍યું છે.તે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુધી જ રહેશે અને પછી જૈસે થે ની સ્‍થિતિ સર્જાશે તે જોવું રહ્યું.

Related posts

સરપંચ મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં દમણવાડાની બાલ ગંગાધર તિલક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં જન ભાગીદારી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર જાણીતા વોલીબોલ ખેલાડી રાહુલ કાલીયાવાડનું વિચિત્ર રોડ અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્‍ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં

vartmanpravah

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

Leave a Comment