March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા સ્‍તરીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ચીખલીમાં તંત્રએ હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધી બંને બાજુના લારી-ગલ્લાવાળાના દબાણો હટાવ્‍યા

દબાણ કામ ચલાઉ ધોરણે કે પછી કાયમી ધોરણે દૂર કરવામાં આવ્‍યા તે મોટો સવાલ ઉભો થવા પામ્‍યો છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ચીખલીમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈને સાફ સફાઈ, રંગ રોગાન, શણગાર સહિતની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમ્‍યાન સ્‍થાનિક તંત્ર દ્વારા ચીખલીમાં ચીખલી વાંસદા રાજયધોરી માર્ગ ઉપર હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલસુધી માર્ગને બંને બાજુના સંખ્‍યાબંધ દબાણો દૂર કરવામાં આવતા સમગ્ર વિસ્‍તાર ચોખ્‍ખો થઈ જવા પામ્‍યો છે. તંત્રને હમણાં સુધી આ દબાણો નજરે પડયા ન હતા કે કેમ? હાલમાં જે સંખ્‍યા બંધ લારી-ગલ્લાવાળાઓના દબાણો હંગામી કે કાયમી ધોરણે દૂર કરવામાં આવ્‍યા છે. તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.જોકે દબાણો દૂર કરાતાની સાથે જલોકોની રોજગારીનો પ્રશ્ન આગળ ધરી કેટલાક નેતાઓ કુદી પડી અધિકારીઓને ફોન રણકાવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું.
ચીખલી હાઇવે ચાર રસ્‍તાથી કોલેજ સર્કલ સુધીમાં આડેધડ વાહન પાર્કિંગ લારી ગલ્લાવાળાઓના દબાણને પગલે દિવસે દિવસે ટ્રાફિકની સમસ્‍યા જટિલ બની રહી છે.તાલુકા સેવા સદનની સામે તો કેટલાક ફળની લારી વાળાઓ આગળ પાછળ બધી બાજુએ મોટી જગ્‍યા રોકી લઈ મોટાપાયે દબાણ કરવામાં આવે છે.લોકોને રોજગારી પણ મળવી જોઈએ પરંતુ ટ્રાફિક સમસ્‍યા ન સર્જાઈ તેને પણ ધ્‍યાનમાં રાખી તંત્ર દ્વારા સ્‍થાનિક પંચાયત સાથે સંકલન કરી એક ચોક્કસ માપ સાથેની જગ્‍યા નિયત કરવી જોઈએ.
હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધીનું જે દબાણ તંત્ર દ્વારા દુર કરવામાં આવ્‍યું છે.તે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુધી જ રહેશે અને પછી જૈસે થે ની સ્‍થિતિ સર્જાશે તે જોવું રહ્યું.

Related posts

દીવ કોર્ટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે દમણવાડા ગ્રા.પં. દ્વારા ‘માતૃ અને વિદ્યા શક્‍તિ’નો થનારો આવિષ્‍કાર

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત એલ્‍યુર ગિફટ રેપ્‍સ કંપનીમાં મહિલા કામદારોનો નોકરી-પગાર માટે હંગામો

vartmanpravah

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

vartmanpravah

દાનહ નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓ સાથે કરેલી મનનીય ચર્ચા

vartmanpravah

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

Leave a Comment