April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા સ્‍તરીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ચીખલીમાં તંત્રએ હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધી બંને બાજુના લારી-ગલ્લાવાળાના દબાણો હટાવ્‍યા

દબાણ કામ ચલાઉ ધોરણે કે પછી કાયમી ધોરણે દૂર કરવામાં આવ્‍યા તે મોટો સવાલ ઉભો થવા પામ્‍યો છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ચીખલીમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈને સાફ સફાઈ, રંગ રોગાન, શણગાર સહિતની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમ્‍યાન સ્‍થાનિક તંત્ર દ્વારા ચીખલીમાં ચીખલી વાંસદા રાજયધોરી માર્ગ ઉપર હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલસુધી માર્ગને બંને બાજુના સંખ્‍યાબંધ દબાણો દૂર કરવામાં આવતા સમગ્ર વિસ્‍તાર ચોખ્‍ખો થઈ જવા પામ્‍યો છે. તંત્રને હમણાં સુધી આ દબાણો નજરે પડયા ન હતા કે કેમ? હાલમાં જે સંખ્‍યા બંધ લારી-ગલ્લાવાળાઓના દબાણો હંગામી કે કાયમી ધોરણે દૂર કરવામાં આવ્‍યા છે. તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.જોકે દબાણો દૂર કરાતાની સાથે જલોકોની રોજગારીનો પ્રશ્ન આગળ ધરી કેટલાક નેતાઓ કુદી પડી અધિકારીઓને ફોન રણકાવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું.
ચીખલી હાઇવે ચાર રસ્‍તાથી કોલેજ સર્કલ સુધીમાં આડેધડ વાહન પાર્કિંગ લારી ગલ્લાવાળાઓના દબાણને પગલે દિવસે દિવસે ટ્રાફિકની સમસ્‍યા જટિલ બની રહી છે.તાલુકા સેવા સદનની સામે તો કેટલાક ફળની લારી વાળાઓ આગળ પાછળ બધી બાજુએ મોટી જગ્‍યા રોકી લઈ મોટાપાયે દબાણ કરવામાં આવે છે.લોકોને રોજગારી પણ મળવી જોઈએ પરંતુ ટ્રાફિક સમસ્‍યા ન સર્જાઈ તેને પણ ધ્‍યાનમાં રાખી તંત્ર દ્વારા સ્‍થાનિક પંચાયત સાથે સંકલન કરી એક ચોક્કસ માપ સાથેની જગ્‍યા નિયત કરવી જોઈએ.
હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધીનું જે દબાણ તંત્ર દ્વારા દુર કરવામાં આવ્‍યું છે.તે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુધી જ રહેશે અને પછી જૈસે થે ની સ્‍થિતિ સર્જાશે તે જોવું રહ્યું.

Related posts

વલસાડથી પિતૃ તર્પણ કરવા ચાણોદ ગયેલા કાકો-ભત્રીજો પાણીમાં ડૂબ્‍યાઃ ભત્રીજાને બચાવી લેવાયો

vartmanpravah

દમણઃ કચીગામમાં ક્‍લાસીક્‍ ઇન્‍ડસ્‍ટ્રીઝપાસે ચલા વિસ્‍તારમાં રહેતા રિક્ષા ઉપર જીવંત વીજ તાર તૂટી રિક્ષા ચાલક હરીશભાઈ હળપતિનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

ક્રિમિનલ માનહાનીના કેસમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ પી.કે.શર્માએ આપેલો આદેશ

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

સેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્‍મોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં એડ્‍સની જાગૃતિ માટે દાનહ અને દમણ-દીવમાં ‘રેડ રન મેરેથોન’ યોજાઈ

vartmanpravah

Leave a Comment