Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના શિસ્‍ત સમિતિના ચેરમેન બનેલા એડવોકેટ પી.ડી.પટેલના વલસાડ ખાતે યોજાયેલા સન્‍માન સમારંભ કાર્યક્રમમાં સુરતમાં હાઈકોર્ટની બેંચ લાવવા માટેની માંગ ઉદભવી હતી. જે સંદર્ભે ચેરમેને ગુજરાતમાં સુરત અને રાજકોટ ખાતે હાઈકોર્ટની બેંચ આવે તે માટેના બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતે પ્રયત્‍નો શરૂ કર્યા હોવાનું મંચ પરથી જણાવ્‍યું હતું.
તાજેતરમાં વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી.ડી.પટેલની બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતમાં શિસ્‍ત સમિતિના ચેરમેન પદે વરણી થઈ છે. આ ઉપરાંત એડવોકેટ મનીષ રાણાની કો-ઓપ્‍ટ મેમ્‍બર તરીકે વરણી થતા વલસાડ જિલ્લાના વકીલોએ તેમનો અભિવાદન કરવાનો સમારોહ વલસાડ કોર્ટ કેમ્‍પસમાં રાખ્‍યો હતો. જેમાં વકીલોએ પી.ડી.પટેલને અભિનંદન આપવા સાથે તેમના વ્‍યક્‍તિત્‍વ અંગે પ્રતિભાવો વ્‍યક્‍ત કર્યા હતા.
વલસાડના સિનિયર ધારાશાષાી ઐયાઝ શેખે કહ્યું કે, પી.ડી.પટેલે પોતાનું એવું હકારાત્‍મક વ્‍યક્‍તિત્‍વ ઊભું કર્યું છે કે કોઈ પણનવા વકીલો કોર્ટ કેમ્‍પસમાં આવે એટલે સૌથી પહેલા એમનો જ સંપર્ક કરે, કયા સિનિયર સાથે કામ કરવું તેનો અર્લોર્ટમેન્‍ટ પણ પી.ડી. કરે. સનદ માટેની કાર્યવાહી હોય કે અન્‍ય કોઈપણ પ્રક્રિયા હોય દરેક ભાવિ લોયરને હકારાત્‍મક રીતે સલાહ આપે. તેમણે ચેરમેન બનવા બદલ પટેલને અભિનંદન આપવા સાથે હવે ન્‍યાયિક પ્રક્રિયામાં બધુ સાયન્‍ટિફિક થવા લાગ્‍યું છે, સાયબર ક્રાઈમને લગતી ઘટનાઓ વધી રહી છે ત્‍યારે તમામ વકીલોને જાણકારી મળે તે માટે સેમિનાર કરવાનું સૂચન કર્યું હતું.
નામી એડવોકેટ પ્રવીણભાઈ દેસાઈએ પી.ડી.પટેલ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન બને તેવી આશા રાખી શુભેચ્‍છા પાઠવી હતી. તેમણે વલસાડના જજીસ અને વકીલો વચ્‍ચે યોગ્‍ય સંકલન કરી હકારાત્‍મક વાતાવરણ ઊભું થાય તેવા પ્રયત્‍નો કરવા કહ્યું હતું. ઉપરાંત જ્‍યારે દેશમાં હાઈકોર્ટની નવી બેન્‍ચો ઊભી કરાઈ રહી છે ત્‍યારે સુરતમાં હાઈકોર્ટની બેંચ આવે અને એનું તમે નિમિત બનો એવી શુભકામનાઓ વ્‍યક્‍ત કરી બેન્‍ચની માંગણી કરી હતી. જે અનુસંધાને પી.ડી.પટેલે ગુજરાતમાં સુરત ઉપરાંત રાજકોટમાં હાઈકોર્ટની બેંચના પ્રયત્‍નો બાર કાઉન્‍સિલ દ્વારા કરાઈ રહ્યા હોવાનું જણાવ્‍યં હતું.
વલસાડ વકીલ મંડળના પ્રમુખ અમિત ગુપ્તાએ પી.ડી.પટેલે વલસાડના ત્રણ વકીલમંડળોને એક રાખવા માટે ખૂબ મોટું યોગદાન આપ્‍યું હોવાનું અને તેઓ મુશ્‍કેલ સમયમાં દરેક વકીલ સાથે ઉભા રહ્યા હોવાનું જણાવી અભિનંદન આપ્‍યા હતા. જ્‍યારે રાજુ (વકીલ) દેસાઈએ કહ્યું કે, પી.ડી. વકીલાત કરતા સેવાનો કામ વધારે કરે છે એટલે જ્‍યારે જ્‍યારે એમને જરૂર પડે ત્‍યારે આપણે સહકાર આપશું તો જ તે આપણી પણ સેવા કરી શકશે. ધરમપુર બાર એસોસિએશનના પ્રમુખ જયદીપ સોલંકીએ અમને જ્‍યારે પણ જરૂર પડી છે ત્‍યારે તેઓ મધરાતે પણ અમારા માટે ધરમપુર આવ્‍યા છે એમ કહી તેમનો આભાર વ્‍યક્‍ત કરી અભિનંદન પાઠવ્‍યા હતા. કાર્યક્રમના અંતે પી.ડી.પટેલે કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજકોનો આભાર માન્‍યો હતો. તેમજ ઐયાઝભાઈના સૂચન મુજબ ત્રણ મહિને એક વખત સેમિનાર કરવાની ખાતરી આપી હતી. જ્‍યારે મનીષ રાણાએ પોતાની નિમણૂક યથાર્થ નિવડે તે મુજબની કામગીરી કરવાની સૌને ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં વલસાડ ઉપરાંત ધરમપુર, પારડી, વાપીના બાર એસોસિયેશનના પ્રમુખ તથા વકીલમિત્રો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

Related posts

17મી સપ્‍ટેમ્‍બરે ‘આંતરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ઉપક્રમે યોજાનારા જમ્‍પોર અને દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે  દમણમાં 20 હજારથી વધુ લોકો બીચની સફાઈ માટે જોડાશેઃ સંઘપ્રદેશ પ્રશાસન અને કોસ્‍ટગાર્ડ દ્વારા અપાયેલો આખરી ઓપ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક

vartmanpravah

ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું: ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની સરકારી શાળાના શિક્ષકોને મળ્‍યું નવા ક્ષમતા નિર્માણના અવસરનું સામર્થ્‍ય શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોને લાઈફ સ્‍કિલ થ્રુ ફૂટબોલના માધ્‍યમથી જીવન કૌશલ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment