Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં અનુબંધમ પોર્ટલ અંગે માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: રાજ્ય સરકારની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની જિલ્લા રોજગાર વિનિમય કચેરી વલસાડ દ્વારા તા. ૬ ઓગસ્ટના રોજ વલસાડની અતુલ લિમિટેડ કંપની ખાતે અનુબંધમ પોર્ટલ અંગે મહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં અનુબંધમ પોર્ટલ દ્વારા યુવાનોને તેમની લાયકાત અને પસંદગી અનુરૂપ નોકરી માટે ખાલી જગ્યાઓની માહિતી અને ઓનલાઈન જોબફેર (ભરતીમેળા) દ્વાર ઓનલાઈન જોબ ઓનલાઇન પોર્ટલના માધ્યમથી મળી રહે તેમજ નોકરીદાતાઓને તેમની જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે તે માટે માહિતી અને માર્ગદર્શન આપાયું હતું. નોકરીદાતાઓ પોર્ટલ પર નોકરીદાતા તરીકે રજીસ્ટ્રેશન કરી પોર્ટલની નિ:શુલ્ક સેવાઓ જેવી કે ઓનલાઈન જોબફેર, જોબ પોસ્ટ, સર્ચ જોબસીકર, ઈ.આર. ૧ અને ૮૫% અન્ય પોર્ટલમાં આપેલ સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ સેમિનારમાં વલસાડ રોજગાર અધિકારીશ્રી પી.એલ.પટેલ, ધરમપુરના રોજગાર અધિકારીશ્રી એસ.આર.રાઠવા, અતુલ કંપનીના કર્મચારીઓ અને કોંટ્રાક્ટરો હાજર રહ્યા હતા.

Related posts

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

vartmanpravah

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

વાપી હાઈવે ઉપર મધરાતે ટ્રક પલટી મારી જતા પારડી-વલસાડ સુધી ટ્રાફિક જામ : વાહનોની કતાર

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

Leave a Comment