July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાસ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.21: વલસાડ જિલ્લા‍ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને વલસાડ જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકના અધ્ય ક્ષસ્થા‍નેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંકલન સમિતિના ભાગ- ૧ અંતર્ગત જિલ્લાેના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતોની સમીક્ષા કરી હતી.
બેઠકમાં ઉંમરગામના ધારાસભ્યક રમણલાલ પાટકરના હની ડ્રગ્સે પ્રા. લિ. કંપની સરીગામના કંપનીના કામદારોને યોગ્ય વેતન અને પી. એફ. ન જમા કરવા બાબતેના પ્રશ્ને મદદનીશ શ્રમ આયુકત અને પી. એફ. કમિશનર વાપીને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લાઠ વિકાસ અધિકારીએ જણાવ્યુંજ હતું. ધરમપુરના અરજદારશ્રી સીતારામભાઇ રામજીભાઇ માંગી કે જેઓ ૬૦ વર્ષથી વન ધારા- ૨૦૦૫ પ્રમાણે ખેતી કરતા આવેલા છે તે જમીન એફ. આર. સી. માં આપવા બાબતની ધારાસભય પાટકરની રજૂઆત બાબતે પ્રાયોજના વહીવટદાર વલસાડ દ્વારા વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ વનવાસી અનુસૂચિત જનજાતિ અને અન્યત પરંપરાગત વનવાસીઓને઼ રહેઠાણ અને ખેતીની જમીન માટેના કિસ્સાિઓમાં વર્ષઃ ૨૦૦૫ પહેલાનો જમીનનો કબજો ધરાવતા હોય અને તે કબજો વર્ષઃ ૨૦૦૭ સુધી ચાલુ હોય તેવા કિસ્સાીઓમાં સરકારશ્રીના નિયત નમૂનામાં જરૂરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે સંબધિત ગામની વન સમિતિને અરજી કરવાની રહે છે તે મુજબ સંબધિત અરજદારે અરજી કર્યા બાદ જરૂરી વન જમીન ફાળવવામાં આવશે એમ જણાવેલ છે. દમણગંગા સુગર ફેકટરીની ૮ એકરની જમીન જે ખેડૂતોની નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા લેવામાં આવી છે તેમને હાલના બજારભાવ પ્રમાણે વળતર આપવા ધારાસભ્ય ઉમરગામે રજુઆત કરતાં આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે નાયબ કલેકટર વલસાડને અધ્યાક્ષસ્થામનેથી જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુંમ હતું.
વલસાડના ધારાસભ્યય ભરતભાઇ પટેલના વલસાડ શહેરમાં વિવિધ રસ્તાાઓ પરના દબાણો હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં આઝાદ ચોકથી મસ્જીભદથી કોંસબા જતા રોડ, એમ. જી. રોડ, શાકભાજી માર્કેટ રોડ, રૂરલ પોલીસ સ્ટે૫શનથી તાલુકા પંચાયત સુધીના રોડ પર ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટે જણાવ્યું હતું. આ બાબતે ચીફ ઓફિસર વલસાડને જરૂરી સર્વે કરી માપણી કરવા અને જે મકાનો લાઇનદોરીની બહાર હોય તેમને વલસાડ પોલીસનો સહકાર લઇને આ દબાણો આગામી સપ્તાબહમાં દૂર કરવા જરૂરી કાર્યવાહી કરવા માટે જિલ્લાા વિકાસ અધિકારીએ જણાવ્યુંે હતું.
વલસાડ જિલ્લાા પંચાયતના સામાજીક ન્યાલય સમિતિના અધ્યવક્ષ ધવલ પટેલની નાની સરોણ ગામે નેશનલ હાઇવે નં.-૪૮ ઉપર ઓવરબ્રિજનું નિર્માણ કરવા બાબતની રજૂઆત બાબતે નેશનલ હાઇવે ઓથોરીટીને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે અધ્યમક્ષશ્રીએ જણાવ્યું હતું.
ભાગ-૨ માં જિલ્લાી કલેકટરશ્રીએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શટન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શાન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં વલસાડ જિલ્લાૂ પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, જિલ્લાે પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિહ ઝાલા, નિવાસી અધિક કલેકટર અનસૂયા આર.ઝા, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી નીલેશ કુકડીયા, આનંદુ સુરેશ ગોવિંદ, કેતુલ ઇટાલીયા, સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક યદુ ભારદ્વાજ, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક સુશ્રી નીશા રાજ, ગ્રામવિકાસ એજન્સીાના નિયામકશ્રી જે. પી. મયાત્રા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. વસાવા, તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિરત રહયા હતા.

Related posts

ચીખલીના થાલામાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા

vartmanpravah

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

vartmanpravah

મહાત્‍મા ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર અપશબ્‍દો સાથે ગંદી પોસ્‍ટ કરનાર સામે એફ.આઈ.આર. નોંધવા દાનહ કોંગ્રેસની માંગ

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

ચીખલી-વાંઝણા ગામે મિલાપ કરતા સાપના જોડાને વાઈલ્‍ડ લાઈફના સભ્‍યો દ્વારા ઉગારી લેવાયા

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘ક્રિસમસ’ની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment