April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: જન્‍માષ્‍ટમીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીમાં મંદિરો અને સોસાયટીઓમાં નંદોત્‍સવની ઝાંકી સજાવવામાં આવી હતી. જેમાં સેલવાસના ગાયત્રી મંદિર, તિરુપતિ બાલાજી, લવાછા રામેશ્વર મહાદેવ મંદિર, દાદરા રામ મંદિરમાં શુક્રવારે રાત્રે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું હતું. જન્‍મોત્‍સવ બાદ દિવસ દરમિયાન મંદિરોમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્‍યો હતો. જન્‍મોત્‍સવને કારણે મંદિરોમાં અને સોસાયટીઓમાં ‘જય ગોવિંદ જય, જય ગોપાલ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’ જેવા ઉચ્‍ચારણથી વાતાવરણ કૃષ્‍ણમય બની ગયું હતું.
આમલી તિરુપતિ બાલાજી મંદિરમાં કૃષ્‍ણ ભગવાનનું બાલ સ્‍વરૂપ પારણુ બનાવવામાં આવ્‍યું હતું અહીં ભક્‍તો માખણ અને મિશરીનો પ્રસાદ ચડાવી કૃષ્‍ણ ભગવાનના દર્શનનો લ્‍હાવો માણ્‍યો હતો. બધા મંદિરો અને સોસાયટીઓમાં રાત્રે 12 વાગ્‍યે નંદોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. જન્‍માષ્ટમી બાદ ભગવાનની ઝાંકી શ્રધ્‍ધાળુઓ માટે ખોલવામાં આવ્‍યા હતા. લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં 105 વર્ષથી સપ્તાહનું આયોજન કરાય છે જેની પૂર્ણાહુતી બાદ કૃષ્‍ણ જન્‍મોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો.
કિલવણી નાકા પર વેપારી એસોસિએશન દ્વારા મટકી હંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો જેમાં સેલવાસ પાલિકા ઉપપ્રમુખ સહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પ્રત્‍યક્ષ જઈ પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

vartmanpravah

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રને સાર્થક કરતી દ્રષ્‍ટિ પટેલ

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ થ્રીડીમાં જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment