Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સેવા મંડળ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ શરૂ

પાલનપુર હાઈવે પાસે વડગામ ગોલા રોડ ઉપર તા.5 થી 8 સુધી 24 કલાક નાસ્‍તો, પુરી, મીનરલ વોટર, મેડિસિનની નિઃશુલ્‍ક સેવા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી છરવાડા રોડના યુવાનો દ્વારા કાર્યરત વાપી સેવા મંડળ પાછલા 14 વર્ષથીઅંબાજી ભાદરવા પૂનમે ચાલતા પદયાત્રીઓ અને સંઘો માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પનું આયોજન કરે છે. આ વર્ષનો સેવા કેમ્‍પ તા.5 થી 8 સપ્‍ટેમ્‍બરના રોજ પ્રારંભ કરાયો છે.
અંબાજી ભાદરવી પૂનમનો ખુબ મહિમા છે. ગુજરાત ભરમાંથી પગપાળા સંઘો મોટા અંબાજી ચાલતા જાય છે. પૂનમના દિવસે 10 લાખ પદયાત્રીઓ અંબાજી શક્‍તિપીઠમાં હોય છે. પગપાળા સંઘના દરેક રસ્‍તા ઉપર સેવા કેમ્‍પ પાંચ પાંચ કિ.મી.ના અંતરે કાર્યરત હોય છે. વાપી-છરવાડા રોડ વિસ્‍તારના યુવાનો વાપી સેવા મંડળના નેજા હેઠળ મહેસાણા-પાલનપુર હાઈવે નજીક આવેલ છાપી, મગરવાડા, ગોલારોડ ઉપર છેલ્લા 14 વર્ષથી અંબાજી સેવા કેમ્‍પનું આયોજન કરે છે. કેમ્‍પમાં યાત્રિકો માટે મીનરલ વોટર, ચા, ખમણ-ગાંઠીયા, પુરી, શાક, છાશ અને દવાઓની નિઃશુલ્‍ક સેવા કરવામાં આવે છે. તા.5 થી પ્રારંભ થતા કેમ્‍પ તા.8 સપ્‍ટેમ્‍બર સુધી દિવસ-રાત કાર્યરત રહે છે. જેનો હજારો પદયાત્રીઓ લાભ લે છે.

Related posts

આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ

vartmanpravah

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો દમણમાં પાંચ વર્ષ પહેલાં થયેલ એક મહિલાની હત્‍યા કેસના આરોપીને આજીવન કેદ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

vartmanpravah

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત 1લી ઓક્‍ટોબરે દમણના દેવકા બીચ ખાતે મહા સફાઈ અભિયાનનું આયોજન

vartmanpravah

Leave a Comment