Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સેવા મંડળ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ શરૂ

પાલનપુર હાઈવે પાસે વડગામ ગોલા રોડ ઉપર તા.5 થી 8 સુધી 24 કલાક નાસ્‍તો, પુરી, મીનરલ વોટર, મેડિસિનની નિઃશુલ્‍ક સેવા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી છરવાડા રોડના યુવાનો દ્વારા કાર્યરત વાપી સેવા મંડળ પાછલા 14 વર્ષથીઅંબાજી ભાદરવા પૂનમે ચાલતા પદયાત્રીઓ અને સંઘો માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પનું આયોજન કરે છે. આ વર્ષનો સેવા કેમ્‍પ તા.5 થી 8 સપ્‍ટેમ્‍બરના રોજ પ્રારંભ કરાયો છે.
અંબાજી ભાદરવી પૂનમનો ખુબ મહિમા છે. ગુજરાત ભરમાંથી પગપાળા સંઘો મોટા અંબાજી ચાલતા જાય છે. પૂનમના દિવસે 10 લાખ પદયાત્રીઓ અંબાજી શક્‍તિપીઠમાં હોય છે. પગપાળા સંઘના દરેક રસ્‍તા ઉપર સેવા કેમ્‍પ પાંચ પાંચ કિ.મી.ના અંતરે કાર્યરત હોય છે. વાપી-છરવાડા રોડ વિસ્‍તારના યુવાનો વાપી સેવા મંડળના નેજા હેઠળ મહેસાણા-પાલનપુર હાઈવે નજીક આવેલ છાપી, મગરવાડા, ગોલારોડ ઉપર છેલ્લા 14 વર્ષથી અંબાજી સેવા કેમ્‍પનું આયોજન કરે છે. કેમ્‍પમાં યાત્રિકો માટે મીનરલ વોટર, ચા, ખમણ-ગાંઠીયા, પુરી, શાક, છાશ અને દવાઓની નિઃશુલ્‍ક સેવા કરવામાં આવે છે. તા.5 થી પ્રારંભ થતા કેમ્‍પ તા.8 સપ્‍ટેમ્‍બર સુધી દિવસ-રાત કાર્યરત રહે છે. જેનો હજારો પદયાત્રીઓ લાભ લે છે.

Related posts

વાપી સેસન્‍સ કોર્ટએ ઉદવાડાના લાંચીયા તલાટીને 3 વર્ષની કેદ અને રૂા.20 હજારનો દંડનો ચુકાદો આપ્‍યો

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારે આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે 62મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવના વિકાસ કામોની સમીક્ષા અને નિરીક્ષણ સાથે 2023ના નવા વર્ષની કરેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી વેસ્‍ટ દ્વારા 131 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડ એનાયત કર્યા

vartmanpravah

Leave a Comment