Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સેવા મંડળ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ શરૂ

પાલનપુર હાઈવે પાસે વડગામ ગોલા રોડ ઉપર તા.5 થી 8 સુધી 24 કલાક નાસ્‍તો, પુરી, મીનરલ વોટર, મેડિસિનની નિઃશુલ્‍ક સેવા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી છરવાડા રોડના યુવાનો દ્વારા કાર્યરત વાપી સેવા મંડળ પાછલા 14 વર્ષથીઅંબાજી ભાદરવા પૂનમે ચાલતા પદયાત્રીઓ અને સંઘો માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પનું આયોજન કરે છે. આ વર્ષનો સેવા કેમ્‍પ તા.5 થી 8 સપ્‍ટેમ્‍બરના રોજ પ્રારંભ કરાયો છે.
અંબાજી ભાદરવી પૂનમનો ખુબ મહિમા છે. ગુજરાત ભરમાંથી પગપાળા સંઘો મોટા અંબાજી ચાલતા જાય છે. પૂનમના દિવસે 10 લાખ પદયાત્રીઓ અંબાજી શક્‍તિપીઠમાં હોય છે. પગપાળા સંઘના દરેક રસ્‍તા ઉપર સેવા કેમ્‍પ પાંચ પાંચ કિ.મી.ના અંતરે કાર્યરત હોય છે. વાપી-છરવાડા રોડ વિસ્‍તારના યુવાનો વાપી સેવા મંડળના નેજા હેઠળ મહેસાણા-પાલનપુર હાઈવે નજીક આવેલ છાપી, મગરવાડા, ગોલારોડ ઉપર છેલ્લા 14 વર્ષથી અંબાજી સેવા કેમ્‍પનું આયોજન કરે છે. કેમ્‍પમાં યાત્રિકો માટે મીનરલ વોટર, ચા, ખમણ-ગાંઠીયા, પુરી, શાક, છાશ અને દવાઓની નિઃશુલ્‍ક સેવા કરવામાં આવે છે. તા.5 થી પ્રારંભ થતા કેમ્‍પ તા.8 સપ્‍ટેમ્‍બર સુધી દિવસ-રાત કાર્યરત રહે છે. જેનો હજારો પદયાત્રીઓ લાભ લે છે.

Related posts

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ કિરણ રાવલે 98મી વાર રક્‍તદાન કર્યું

vartmanpravah

દાનહ કલેકટર અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરની વિઝીટ

vartmanpravah

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

vartmanpravah

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

vartmanpravah

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

vartmanpravah

Leave a Comment