Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

દાદરા ગામે નવસર્જન ભારત પાર્ટીના પ્રદેશ પ્રમુખના ઘરે આઈ.ટી. વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08: સીબીઆઈ અને ઈડીની કાર્યવાહી વચ્‍ચે દેશભરમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન સામે આવ્‍યું છે. આવકવેરા વિભાગે દેશના સાત રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશમાં પણ દરોડા પાડયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલિટિકલ ફંડિંગ મામલે આ એક્‍શન હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગની ટીમો દિલ્‍હીથી શરૂ કરીને અલગ અલગ રાજ્‍યમાં દરોડા પાડવામાં આવ્‍યા છે. જે સંદર્ભે દાદરા નગર હવેલીમાં પણ નવસર્જન ભારત પાર્ટીના પ્રદેશ પ્રમુખ મહેશ પાંચાલ રહેવાસી વાઘધરા રોડ, દાદરાના ઘરે ગાંધીનગરની ઈનકમ ટેક્‍સની ટીમ સર્વે માટે બેંક મેનેજર સાથે આવી હતી. આ બેંકમાંથી મહેશભાઈ પંચાલના ખાતામાં મળેલ માહિતી અનુસાર 1500કરોડ રૂપિયાનું ટ્રાન્‍ઝેક્‍શન થયેલ હોય જે ગુજરાતની કેટલીક પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલ હોવાનું બહાર આવ્‍યું છે. મહેશભાઈ પાંચાલ દ્વારા આ પાર્ટીનું દાદરા નગરહવેલીમાંથી જ રજીસ્‍ટ્રેશન કરાવેલ છે અને લોકસભા ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવી હતી. હાલમાં આઈ.ટી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે, ખરી હકીકત આઈ.ટી. વિભાગના અધિકારીઓ દ્વારા જાહેર કરશે ત્‍યારે જ હકીકત ખબર પડશે.

Related posts

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં દમણવાડાના બારિયાવાડ ખાતે આવેલ પૌરાણિક સોપાની માતાના મંદિરમાં યોજાયેલી મહા આરતી

vartmanpravah

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

લોકસભા ચૂંટણી – 2024ના ઉપલક્ષમાં યોજાયેલી પત્રકાર પરિષદ દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે ડિજિટલ, પ્રિન્‍ટ, સોશિયલ અને ઈલેક્‍ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓને કરેલી તાકિદ

vartmanpravah

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

Leave a Comment