April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધો.૧૦ બોર્ડના જાહેર થયેલ પરિણામમાં રોણવેલની આશા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીની એ-1માં ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: શાળાના સંચાલક શ્રી ડો.પ્રશાંતસિંહ પરમારના ર્માદર્શન હેઠળ આશા ગાંધી વિદ્યાલયનું વર્ષ-2022-23નું ઝળહળતું પરિણામ. આશા ગાંધી વિદ્યાલય રોણવેલનું એસ.એસ.સી. માર્ચ 2023માં 77.77 ટકા ગૌરવવંતુ પરિણામ મેળવ્‍યું છે.જેમાં પટેલ પ્રાચી. આર. 99.24 PR સાથે પ્રથમ, પટેલ વૈદેહિ વી.96.74 PR સાથે દ્વિતિય અને વંશિકા કે એ 96.63 PR સાથે તૃતિય સ્‍થાને રહ્યા હતા. આ સાથે શાળાનું સતત બીજા વર્ષે ઝળહળતું પરિણામ આવ્‍યું છે. પ્રણમ વર્ષે 2021-22માં એસ.એસ.સી.નું 100 ટકા પરિણામ આવ્‍યું હતું. ધોરણ-12 સાયન્‍સનું વર્ષ 2022-23નું પરિણામ 60 ટકા રહ્યું હતું. આ સાથે સારું પરિણામ આવતા શાળા પરિવાર, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. શાળાના સંચાલક શ્રી ડો.પ્રશાંતસિંહ પરમાર અને આચાર્યશ્રી તેમજ શાળાના શૈક્ષણિક કર્મચારીઓએ પાસ થનાર વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી હતી. શાળાની સિધ્‍ધિ માટે શાળા પરિવાર અને વાલીઓનો સાથે સહકાર તેમજ વિદ્યાર્થીઓની મહેનતને ડો.પ્રશાંતસિંહ પરમારે બિરદાવી હતી.

Related posts

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓ અને જિ.પં. સભ્‍યો, સરપંચો તથા વોર્ડ સભ્‍યો સાથે કરેલી બેઠક દાનહ પ્રધાનમંત્રી આવાસ પ્‍લસ યોજનામાં મંજૂર થયેલા તમામ ઘરો 31મી ડિસે.’23 સુધી પૂર્ણ કરવા લાભાર્થીઓને અલ્‍ટીમેટમ

vartmanpravah

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ડેંગ્‍યુના રોગચાળાને કાબુમાં લેવા આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા અસરકારક પગલાં

vartmanpravah

Leave a Comment