March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર રૂવાટા ઉભા થઈ જાય તેવા અકસ્‍માતમાં કાર ચાલક બાલ બાલ બચી ગયો

આયુષ હોસ્‍પિટલ સામે કારને ટ્રકે ટક્કર મારી ધસડી જતા બીજી ટ્રકને કાર ભટકાઈ હતી : ચાલુ કારે ચાલક કુદી પડયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: અકસ્‍માતો હંમેશા કમનસીબી જ સર્જાતા હોય છે પરંતુ ક્‍યારેક અપવાદમાં એવા પણ અકસ્‍માત સર્જાતા હોય છે જે ચમત્‍કારથી ઓછા નહી તેવું સાબિત કરતા હોય છે. કંઈક તેવી જ કશ્‍મકશ ભરેલો અકસ્‍માત મંગળવારે મોડી રાતે વાપી હાઈવે આયુષ હોસ્‍પિટલ સામે સર્જાયો હતો. બે ટ્રક વચ્‍ચે ફસડાયેલી કારનો ચાલક બાલ બાલ બચી ગયો હતો. જો કે કાર 100 ટકા લોસ થતા ખુડદો બોલાઈ ગયો હતો.
દિલધડક અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રાતે 9 વાગ્‍યાના સુમારે આસોપાલવ વિસ્‍તાર છરવાડા રોડ સ્‍થિત શક્‍તિ બંગલોમાં રહેતો ભાવેશ કિશોરભાઈ ડાંગરે તેની કાર નં.15 સીઓ 4039 ઉપર નેશનલહાઈવે બલીઠા સર્વિસ રોડ ઉપરથી સવાર થઈને જઈ રહ્યા હતા ત્‍યારે પુરઝડપે આવી રહેલ ટ્રક નં.એચઆર 61 ડી 3154ને ટક્કર મારી કાર ધસડી જતા કાર આગળની ટ્રક સાથે ભટકાઈ જતા કારનો ખુરદો બોલી ગયો હતો પરંતુ ચાલુ કારમાંથી ભાવેશ જેમ તેમ કરી બહાર કુદી પડતા બાલ બાલ બચી ગયો હતો. પરિવારે વિનાયક હોસ્‍પિટલમાં ઘાયલ ભાવેશને સારવાર માટે ખસેડયો હતો. બરાબર આયુષ હોસ્‍પિટલ સામે સર્જાયેલ દિલધડક અકસ્‍માત બાદ જી.આઈ.ડી.સી. પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી અને અકસ્‍માત ગ્રસ્‍ત વાહનો સાઈડીંગ કરી ટ્રાફિક નિયમિત કર્યો હતો.

Related posts

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ડૉ. મહેન્‍દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્‍થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્‍ધિના બાળકો માટે સ્‍કૂલ બસ અર્પણ કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘‘બાળ લગ્ન મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત પંચાયતો, શાળાઓ અને કાર્યાલયોમાં જનજાગૃતિ રેલી, મશાલ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment