(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: આજરોજ મનોવિકાસ સંસ્થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલમાં પટાંગણથી દેગામ પોલીસ ચોકી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો, શિક્ષક મિત્રો તથા સંસ્થાનાં પ્રમુખ ડો.મોહન દેવ તથા વાપી ટ્વીન સીટી ક્લિનિકના ડો.શ્રીમતિ ઉર્વશીબેન પટેલ તથા બીજી અન્ય ગામના અગ્રણીઓએ આ રેલીમાં ભાગ લીધો હતો.