Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: ઉમરગામ પાલિકા વોર્ડ નંબર પાંચના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી અંકુશભાઈ કામળી અને એમની ટીમ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સફાઈ અભિયાન, ડસ્‍ટબીન વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિ કરવા સાથે અનાથ આશ્રમમાં બાળકોને ભોજન કરાવી અને કેક કાપી આનંદ ઉલ્લાસથી ઉજવ્‍યો હતો. શ્રી અંકુશભાઈ કામળી અને એમની યુવા ટીમે ઉમરગામ દરિયા કિનારે સફાઈ કામગીરી હાથ ધરી હતી અને 150 જેટલા ડસ્‍ટબીનનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. તેમજ દરિયા કિનારે ફેલાતી ગંદકીને અટકાવવા છૂટક વિક્રેતા અને સહેલાણીઓને કચરો ડસ્‍ટબિનમાં નાખવા સમજણ આપવામાં આવી હતી. ત્‍યારબાદ કપિલેશ્વર તળાવનીફરતે પણ સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી હતી. સેવાકીય પ્રવૃતિમાં ઉમંગ સાથે જોડાયેલી શ્રી અંકુશભાઈ કામળીની યુવા ટીમ અનાથ આશ્રમમાં પહોંચી આશ્રય લઈ રહેલા અનાથ બાળકો સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કેક કાપી આનંદ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ત્‍યારબાદ તમામ બાળકોને પ્રીતિ ભોજન કરાવવામાં આવ્‍યું હતું.

Related posts

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપની પ્રચંડ ધડાકા સાથે ધરાશાયી

vartmanpravah

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

દાનહમાં અન્‍ડર-16 હેન્‍ડબોલના ખેલાડીઓનું રવિવારે થનારૂં સિલેક્‍શનઃ રસ ધરાવતા ખેલાડીઓ ધ્‍યાન આપે

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થનારા સૂચિત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હાથ ધરાયેલો ટોપોગ્રાફી સર્વે

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

Leave a Comment