July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિથી સંઘપ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ ભરેલી પોતાની એક ઊંચી ઉડાન

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટ્‍યૂટમાં આ વર્ષથી 7 વિષયોની કુલ 26 બેઠકો માટે શરૂ થનારો પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન કોર્ષ

પ્રારંભમાં જનરલ સર્જરી અને ઓબ્‍સ્‍ટ્રેટ્રિક, ગાયનેકોલોજી અને એનેસ્‍થેસિયોલોજીની 4-4 બેઠકો, નેત્ર ચિકિત્‍સા અને માઈક્રોબાયોલોજીની 3-3 મળી કુલ 18 બેઠકોની મળી હતી મંજૂરી અને હવે વધુ બે વિષયો કોમ્‍યુનિટિમેડિસિન અને પેથોલોજીની 4-4 બેઠકોની ફાળવણી સાથે આ વર્ષથી 7 વિષયોની કુલ 26 બેઠકો મેડિકલના પી.જી. કોર્ષ માટે ઉપલબ્‍ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન અભ્‍યાસક્રમ માટે વધુ 8 સીટોની ફાળવણી થતાં હવે આ વર્ષથી 7 વિષયોમાં કુલ 26 બેઠકો માટે અનુસ્‍નાતક અભ્‍યાસક્રમ ઉપલબ્‍ધ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રારંભમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશનના અભ્‍યાસક્રમ માટે પાંચ વિષયોની 18 બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં જનરલ સર્જરીની 4 બેઠક, નેત્ર ચિકિત્‍સાની 3, માઈક્રો બાયોલોજીની 3, ઓબ્‍સ્‍ટ્રેટ્રિક્‍સ એન્‍ડ ગાયનેકોલોજી(પ્રસૂતિ અનેસ્ત્રીરોગ)ની 4 અને એનેસ્‍થેસિયોલોજીની 4 બેઠકોનો સમાવેશ થતો હતો. હવે આ કોલેજમાં કોમ્‍યુનિટી મેડિસિનની 4 અને પેથોલોજીની 4 બેઠકોની પણ ફાળવણી કરાતા હવે સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં આ વર્ષથી 7 વિષયોની કુલ 26 બેઠકો માટે અનુસ્‍નાતક અભ્‍યાસક્રમ(પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન કોર્ષ) ઉપલબ્‍ધ થઈ રહ્યો છે. જે સંઘપ્રદેશ જેવા ટચૂકડા કેન્‍દ્ર શાસિતપ્રદેશ માટે આરોગ્‍ય ક્ષેત્રે ખુબ મોટી ઐતિહાસિક પહેલ છે.
સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં મહત્ત્વના વિવિધ 7 વિષયોની કુલ 26 બેઠકોની ફાળવણી થવાથી સંઘપ્રદેશના મેડિકલ એજ્‍યુકેશનને જ લાભ નહીં થશે, પરંતુ જનતાને મળનારી આરોગ્‍ય સુવિધાઓમાં પણ ખુબ મોટી સુધારણાં થશે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને માર્ગદર્શન અંતર્ગત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિકસિત ભારતના નિર્માણમાં ડગથી ડગ માંડી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પણ પાછળ નહીં રહી જાય તેની કરેલી ચિંતાના કારણે પ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ પોતાની એક ઊંચી ઉડાન શરૂ કરી છે.

Related posts

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, દાનહ અને દમણ-દીવ દ્વારા જુવેનાઇલ જસ્‍ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ અને બાળ જાતિય શોષણ સામેના કાયદા પર કાર્યક્ષમતા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્‍ત થયેલા રસ્‍તાઓના રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

દાનહ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય લેવલ ચિત્રકલા સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment