January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિથી સંઘપ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ ભરેલી પોતાની એક ઊંચી ઉડાન

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટ્‍યૂટમાં આ વર્ષથી 7 વિષયોની કુલ 26 બેઠકો માટે શરૂ થનારો પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન કોર્ષ

પ્રારંભમાં જનરલ સર્જરી અને ઓબ્‍સ્‍ટ્રેટ્રિક, ગાયનેકોલોજી અને એનેસ્‍થેસિયોલોજીની 4-4 બેઠકો, નેત્ર ચિકિત્‍સા અને માઈક્રોબાયોલોજીની 3-3 મળી કુલ 18 બેઠકોની મળી હતી મંજૂરી અને હવે વધુ બે વિષયો કોમ્‍યુનિટિમેડિસિન અને પેથોલોજીની 4-4 બેઠકોની ફાળવણી સાથે આ વર્ષથી 7 વિષયોની કુલ 26 બેઠકો મેડિકલના પી.જી. કોર્ષ માટે ઉપલબ્‍ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન અભ્‍યાસક્રમ માટે વધુ 8 સીટોની ફાળવણી થતાં હવે આ વર્ષથી 7 વિષયોમાં કુલ 26 બેઠકો માટે અનુસ્‍નાતક અભ્‍યાસક્રમ ઉપલબ્‍ધ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રારંભમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશનના અભ્‍યાસક્રમ માટે પાંચ વિષયોની 18 બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં જનરલ સર્જરીની 4 બેઠક, નેત્ર ચિકિત્‍સાની 3, માઈક્રો બાયોલોજીની 3, ઓબ્‍સ્‍ટ્રેટ્રિક્‍સ એન્‍ડ ગાયનેકોલોજી(પ્રસૂતિ અનેસ્ત્રીરોગ)ની 4 અને એનેસ્‍થેસિયોલોજીની 4 બેઠકોનો સમાવેશ થતો હતો. હવે આ કોલેજમાં કોમ્‍યુનિટી મેડિસિનની 4 અને પેથોલોજીની 4 બેઠકોની પણ ફાળવણી કરાતા હવે સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં આ વર્ષથી 7 વિષયોની કુલ 26 બેઠકો માટે અનુસ્‍નાતક અભ્‍યાસક્રમ(પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન કોર્ષ) ઉપલબ્‍ધ થઈ રહ્યો છે. જે સંઘપ્રદેશ જેવા ટચૂકડા કેન્‍દ્ર શાસિતપ્રદેશ માટે આરોગ્‍ય ક્ષેત્રે ખુબ મોટી ઐતિહાસિક પહેલ છે.
સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં મહત્ત્વના વિવિધ 7 વિષયોની કુલ 26 બેઠકોની ફાળવણી થવાથી સંઘપ્રદેશના મેડિકલ એજ્‍યુકેશનને જ લાભ નહીં થશે, પરંતુ જનતાને મળનારી આરોગ્‍ય સુવિધાઓમાં પણ ખુબ મોટી સુધારણાં થશે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને માર્ગદર્શન અંતર્ગત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિકસિત ભારતના નિર્માણમાં ડગથી ડગ માંડી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પણ પાછળ નહીં રહી જાય તેની કરેલી ચિંતાના કારણે પ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ પોતાની એક ઊંચી ઉડાન શરૂ કરી છે.

Related posts

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

મોદી સરકારે આપણી આવનારી પેઢીનું પણ સલામત કરેલું ભવિષ્‍યઃ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલ

vartmanpravah

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

vartmanpravah

દપાડા ગ્રામ પંચાયતનું મુખ્‍ય લક્ષ્યઃ વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગામના જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડવાનો

vartmanpravah

Leave a Comment