(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન ધોડીપાડા સાંસ્કળતિક હોલ ખાતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશના વડાપ્રધાને નારી સશકિતકરણ અને મહિલાઓના હિત માટે અમલમાં મૂકેલી કલ્યાણકારી યોજનાની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારીની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી તેમજ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત દંડક શ્રી દિપકભાઈ મિષાી, મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્યશ્રીમતી મનીષાબેન ચૌધરી, આ ઉપરાંત કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા અને તાલુકા મહિલા મોરચાના હોદ્દેદારો સહિત 2500 થી વધુ મહિલાઓની હાજરી જોવા મળી હતી. કાર્યક્રમના અંતે તમામ બહેનોને સાડી વિતરણ કરવામાં આવી હતી.