June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા પંચાયતના માજી સરપંચ હેમંત પટેલને વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં સજા ફટકારી

હેમંત પટેલ અને ભાગીદારે વેદ ઈન્‍ફાસ્‍પેસ પેઢીનો ચેક આઝાદ ન્‍યુ આઝાદ રોલીંગ શટરને શટર ખરીદી પેટે અપાયેલ તે ચેક રિટર્ન થયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી છરવાડા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ અને તેમની ભાગીદારી ફર્મ ના ભાગીદારે બિલ્‍ડીંગ કન્‍સ્‍ટ્રકશન કામે ન્‍યુ આઝાદ રોલીંગ શટરમાં શટર ખરીદ્યા હતા તેના પેમેન્‍ટ પેટે અપાયેલ વેદ ઈન્‍ફ્રાસ્‍પેસ પેઢીનો ચેક રિટર્ન થતા વાપી કોર્ટમાં ફરિયાદ થઈ હતી. જેના ચુકાદામાં કોર્ટ ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી જેલની સજા ફટકારી હતી.
કેસની પ્રાપ્ત વિગતો મુજબ છરવાડાના ભૂતપૂર્વ સરપંચ હેમંત રમણભાઈ પટેલ અને ભાગીદાર મહેશ કેશવજી ભાનુશાલી વેદ ઈન્‍ફ્રાસ્‍પેસ કંપની ચલાવતા હતા. કંપનીના કન્‍સ્‍ટ્રકશન કામ હેતું તેઓએ વાપીના ન્‍યુ આઝાદ રોલીંગ શટર્સમાં શટરનો ઓર્ડર આપેલો, જેની કુલ રકમ 6,01,215 રૂા.નું બીલ આપ્‍યું હતું. જે પૈકી રૂા.4,23,585 લાખ ચુકવી દેવાયા હતા. બાકી રહેતા રૂા.1,77,630 લાખની રકમ માટે વેદ ઈન્‍ફોસીસના ભાગીદારોએ આઈ.સી.સી.આઈ. બેંકનો રૂા.61,534 નો ચેક આપેલો. આ ગત તા.31-10-2020 ના રોજ રિટર્ન થયો હતો. તેથી પેઢીને નોટિસ આપી હતી.જેનું પાલન નહી કરાતા નેગોશીએબલ એક્‍ટ કલમ 138-114 મુજબ ફરિયાદ કરાઈ હતી. આ કેસના ફરિયાદીના વકીલ આર.પી. સજ્‍યાનીની દલીલો ધ્‍યાને લઈ નામદાર ન્‍યાયાધીશ વસુધા ત્‍યાગીએ ગુનામાં તકસીરવાર હેમંત પટેલને એક વર્ષની સાદી કેદની સજાનો ચુકાદો તા.21-7-23ના રોજ આપ્‍યો હતો તેમજ ફરિયાદીને રૂા.1,23,068 ચેકની રકમની બમણા ચૂકવી આપવા તેમજ રકમ ના ચુકવાય તો વધુ 3 માસની સજાનો હૂકમ નામદાર વાપી કોર્ટે કર્યો છે. અન્‍ય આરોપી મહેશ કેશવજી ભાનુસાલીનું અવસાન થતાં તેમની સામેનું એબેટ પડતું રખાયું હતું.

Related posts

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

કરોડોનો ટોલ ટેક્‍સ ભરો અને ખાડામાં પડો એવી સ્‍થિતિ છે ચીખલીના હોન્‍ડ ગામના હાઈવે પુલની

vartmanpravah

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

vartmanpravah

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

vartmanpravah

Leave a Comment