October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: ઉમરગામ પાલિકા વોર્ડ નંબર પાંચના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી અંકુશભાઈ કામળી અને એમની ટીમ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સફાઈ અભિયાન, ડસ્‍ટબીન વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિ કરવા સાથે અનાથ આશ્રમમાં બાળકોને ભોજન કરાવી અને કેક કાપી આનંદ ઉલ્લાસથી ઉજવ્‍યો હતો. શ્રી અંકુશભાઈ કામળી અને એમની યુવા ટીમે ઉમરગામ દરિયા કિનારે સફાઈ કામગીરી હાથ ધરી હતી અને 150 જેટલા ડસ્‍ટબીનનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. તેમજ દરિયા કિનારે ફેલાતી ગંદકીને અટકાવવા છૂટક વિક્રેતા અને સહેલાણીઓને કચરો ડસ્‍ટબિનમાં નાખવા સમજણ આપવામાં આવી હતી. ત્‍યારબાદ કપિલેશ્વર તળાવનીફરતે પણ સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી હતી. સેવાકીય પ્રવૃતિમાં ઉમંગ સાથે જોડાયેલી શ્રી અંકુશભાઈ કામળીની યુવા ટીમ અનાથ આશ્રમમાં પહોંચી આશ્રય લઈ રહેલા અનાથ બાળકો સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કેક કાપી આનંદ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ત્‍યારબાદ તમામ બાળકોને પ્રીતિ ભોજન કરાવવામાં આવ્‍યું હતું.

Related posts

લક્ષદ્વીપ પ્રશાસનના મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના નિર્ણયને પડકારતી અરજીને કેરલ હાઈકોર્ટે ફગાવીઃ ડેરી ફાર્મ બંધ કરવા ઉપર પણ સહમતિ

vartmanpravah

‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શનિવારે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલઃ ઈન્‍ડિયા દિવસ તરીકે ઉજવાશે

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

વાપી માર્કેટમાં બાઈક પાર્ક કરી બેઠેલા યુવાનને કાર ચાલકે રીવર્સ મારતા ઉડાડયો, બાલ બાલ બચ્‍યો

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

Leave a Comment