Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ : દાદરા નગર હવેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ અને ખંડ સંસાધન કેન્‍દ્ર ખાનવેલના સંયુક્‍ત પ્રયાસથી રુદાના પંચાયતના મારગપાડા ગામની મરાઠી પ્રાથમિક શાળાપરિસરમાં ‘શિક્ષણની વાત વાલીઓ સાથે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ સરસ્‍વતી પૂજન, સ્‍વાગત પ્રસ્‍તાવના બાદ શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદે વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું હતું કે, શિક્ષણનું મહત્‍વ જીવનમાં ધ્‍યેયની જરૂરત, ખુબ મહેનત અને લગનની સાથે કર્તવ્‍ય, મહિલાઓનું શિક્ષણમાં સ્‍થાન, દૈનિક જીવનમાં સમયસારણી અને એનો અમલનું મહત્‍વ, દ્રઢનિヘય, પૌષ્ટિક આહારનું મહત્‍વ, સ્‍વચ્‍છતા વગેરે મહત્‍વપૂર્ણ વિષયો પર જાણકારી આપી હતી. ત્‍યારબાદ શાળાના વિદ્યાર્થીઓના  વાલીઓએ પણ પોતાના વિચારો અને અપેક્ષાઓ વ્‍યક્‍ત કર્યા હતા. આ ચર્ચામાં બી.આર.પી. શ્રી ગણેશ મોરે, બી.આર.સી. ખાનવેલ શ્રી ગણેશ પાટીલે વાલીઓના પ્રશ્નોના જવાબ આપ્‍યા હતા. આ અવસરે શિક્ષણ સચિવ અંકિતા આનંદ ઓનલાઈન ઉપસ્‍થિત રહ્યા હતા. બી.આર.સી. શ્રી ગણેશ પાટીલ, સરપંચ શ્રી શીરીલ પાગી, શાળાના આચાર્ય શ્રી જે.બી.પાટીલ, ખાનવેલના બી.આર.પી., સી.આર.સી.સી. સહિત શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભેંસરોડ ખાતે કોળી પટેલ સમાજના ભવન ખાતે રવિવારે દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah

દાનહ ‘ભારત સ્‍કાઉટ ગાઈડ’ની 32 સભ્‍યોની ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની આદિવાસી શિબિર માટે રાજસ્‍થાનના બાંસવાડા રવાના

vartmanpravah

ધરમપુરમાં રૂા.1.15 કરોડના ખર્ચે નિર્માણ થનાર લાઈબ્રેરીનું ભૂમિપૂજન રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયું

vartmanpravah

સેલવાસ પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં ‘વિશ્વ જળ દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘વન મહોત્‍સવ-2023′ અંતર્ગત દાનહ વન વિભાગે તિનોડામાં કર્યું વૃક્ષારોપણ

vartmanpravah

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment