Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ‘ભારત સ્‍કાઉટ ગાઈડ’ની 32 સભ્‍યોની ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની આદિવાસી શિબિર માટે રાજસ્‍થાનના બાંસવાડા રવાના

સ્‍કાઉટ ગાઈડ દાનહની આદિવાસી પરંપરાનું જલવો ફેલાવશે – ચાર્મી પારેખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19
દાનહ ડેપ્‍યુટી કલેક્‍ટર અને પ્રમુખ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ કુ. ચાર્મી પારેખના આદેશ મુજબ 32 સભ્‍યોની ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની પાંચ દિવસીય આદિવાસી શિબિર, બાંસવાડા રાજસ્‍થાન માટે રવાના થઈ, જેનું પ્રતિનિધિત્‍વ અજય હરિજન અને સંતોસી સિંઘ કરશે. જેમાં ચાર્મી પારેખે તમામને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, દાનહ આદિવાસી પરંપરાને ઉજાગર કરશે. ભારત સ્‍કાઉટ ગાઈડ સાથે તમામ પ્રકારની સ્‍પર્ધાઓ માટે શુભેચ્‍છા પાઠવી હતી. જેમાં આદિવાસી નળત્‍ય તારપા, દાદરા નગર હવેલીનો મુખ્‍ય ખોરાક, ભાતની રોટલી અને પાપડી કી સબઝી, વારલી પેઇન્‍ટિંગ, કોસ્‍ચ્‍યુમ, આદિવાસી ઉત્‍સવો, આદિવાસી પ્રદર્શન, આદિવાસી લગ્ન, પ્રાદેશિક નળત્‍ય, પ્રાદેશિક ગીત, પ્રાદેશિક હસ્‍તકલા, ગ્રામીણ દિવાલ પેઇન્‍ટિંગ ગ્રુપ સ્‍પર્ધા, વ્‍યક્‍તિગત રંગોળી, નિબંધ, લેખન, કવિતા, ગીત જેવી વિવિધ સ્‍પર્ધાઓ અગ્રણી રહેશે.
જેમાં દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના રાજ્‍ય સેક્રેટરી શ્રી સર્મિષ્ઠા દેસાઈ, ડો.એ.પી.જે.અબ્‍દુલ કલામ, સરકારી કોલેજ, રોવર સ્‍કાઉટ લીડર ડો.પવન અગ્રવાલ અને રાજ્‍ય ઓર્ગેનાઈઝીંગ કમિશનર સ્‍કાઉટ સુધાંશુ શેખરની હાજરીમાં તમામ 32 સ્‍પર્ધકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. જેમાં ડો.એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજ, લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલ, આઝાદ ઓપનરોવર ક્રૂ રેન્‍જર ટીમ અને જય હિંદ સ્‍કાઉટ ગાઈડ ઓપન ગ્રુપે ભાગ લીધો હતો. જેમાં સર્મિષ્ઠા દેસાઈએ જણાવ્‍યું હતું કે, દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના સેવાકીય કાર્યને દાનહ પ્રશાસન દ્વારા હંમેશા પ્રશંસા અને સમર્થન આપવામાં આવે છે જેથી તેઓ તેમની કાર્યદક્ષતા અને પ્રવળત્તિઓમાં અત્‍યંત અસરકારક બનાવવામાં સફળ થાય છે અને પ્રદેશ, પ્રાદેશિક, રાષ્‍ટ્રીય અને તમામ તરફથી પ્રશંસાને પાત્ર બને છે. તેઓને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પણ સન્‍માનિત કરવામાં આવે છે, જે તમામ બાળકોના મનોબળને મોટો ટેકો આપે છે, તેમજ જ્‍યારે પણ ચેરિટી વહીવટીતંત્રને સ્‍કાઉટ ગાઈડના સેવા કાર્યની જરૂર પડે છે, ત્‍યારે તેઓ હંમેશા તૈયાર રહે છે જેમાં રાષ્‍ટ્રીય મુખ્‍યાલય, ન્‍યુ. દિલ્‍હી ભારત સ્‍કાઉટ ગાઈડનું પણ ખૂબ મહત્‍વનું યોગદાન રહ્યું છે
આ પાંચ દિવસીય રાષ્‍ટ્રીય કક્ષાના આદિવાસી શિબિરમાં તમામ રાજ્‍યોમાંથી કુલ 1500 સ્‍કાઉટ્‍સ ગાઈડ રોવર રેન્‍જર્સ સમ્‍મેલિત થઈ સફળ બનાવશે. જેમાં ઘણા બધા ઈનામોનું વિતરણ કરવામાં આવશે અને ભાગ લેનાર તમામને સ્‍મળતિ ચિન્‍હ અને વસ્‍તુઓ પણ ભેટ સ્‍વરૂપે આપવામાં આવશે.

Related posts

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ-સોમનાથના ડીઆઈએ હોલમાં ચાલમાલિક, ઉદ્યોગ અને લેબર કોન્‍ટ્રાક્‍ટરો સાથે પોલીસ અધિકારીઓની યોજાયેલી બેઠક

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

ધરમપુર વિરવલ હાઈસ્‍કૂલ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા લાચાર : ચોમાસામાં સ્‍થિતિ દયનિય

vartmanpravah

વાપીના વટાર, મોરાઈ, નામધા સહિતના ગામોમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો ધુંઆધાર ચૂંટણી પ્રચાર

vartmanpravah

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah

Leave a Comment