April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ : દાદરા નગર હવેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ અને ખંડ સંસાધન કેન્‍દ્ર ખાનવેલના સંયુક્‍ત પ્રયાસથી રુદાના પંચાયતના મારગપાડા ગામની મરાઠી પ્રાથમિક શાળાપરિસરમાં ‘શિક્ષણની વાત વાલીઓ સાથે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ સરસ્‍વતી પૂજન, સ્‍વાગત પ્રસ્‍તાવના બાદ શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદે વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું હતું કે, શિક્ષણનું મહત્‍વ જીવનમાં ધ્‍યેયની જરૂરત, ખુબ મહેનત અને લગનની સાથે કર્તવ્‍ય, મહિલાઓનું શિક્ષણમાં સ્‍થાન, દૈનિક જીવનમાં સમયસારણી અને એનો અમલનું મહત્‍વ, દ્રઢનિヘય, પૌષ્ટિક આહારનું મહત્‍વ, સ્‍વચ્‍છતા વગેરે મહત્‍વપૂર્ણ વિષયો પર જાણકારી આપી હતી. ત્‍યારબાદ શાળાના વિદ્યાર્થીઓના  વાલીઓએ પણ પોતાના વિચારો અને અપેક્ષાઓ વ્‍યક્‍ત કર્યા હતા. આ ચર્ચામાં બી.આર.પી. શ્રી ગણેશ મોરે, બી.આર.સી. ખાનવેલ શ્રી ગણેશ પાટીલે વાલીઓના પ્રશ્નોના જવાબ આપ્‍યા હતા. આ અવસરે શિક્ષણ સચિવ અંકિતા આનંદ ઓનલાઈન ઉપસ્‍થિત રહ્યા હતા. બી.આર.સી. શ્રી ગણેશ પાટીલ, સરપંચ શ્રી શીરીલ પાગી, શાળાના આચાર્ય શ્રી જે.બી.પાટીલ, ખાનવેલના બી.આર.પી., સી.આર.સી.સી. સહિત શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ તિથલ બીચ પર યુવતિએ બે બે વાર આપઘાતનો પ્રયાસ કર્યા : જી.આર.ડી.એ ઉગારી લીધી

vartmanpravah

ખાનવેલ બિરસા ખાતે મુંડા શાળામાં જિલ્લા સ્‍તરીય વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્‌ઘાટન

vartmanpravah

ધરમપુર ખાતે ડ્રાઈવરો મોટી સંખ્‍યામાં ભેગા થઈ કાળો કાયદાનો વિરોધ કરી રાષ્‍ટ્રપતિને રજૂઆત કરાઈ

vartmanpravah

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાના સક્રિય કાર્યાન્‍વય સંબંધે દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં ટાસ્‍ક ફોર્સ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

vartmanpravah

Leave a Comment