April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.08: દાદરા નગર હવેલીના સેલવાસ અને આજુબાજુના વિસ્‍તારમાં બેંકની બહાર ઉભા રહી કેટલાક ગ્રાહકોના પૈસા લઈ કાગળની થપ્‍પીઓ પકડાવનાર બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી અશોક છગન હરજન, રહેવાસી પાદરીપાડા-મસાટ જેઓ બેંક ઓફ બરોડા, ટોકરખાડા એટીએમમાંથી પૈસાઉપાડવા આવ્‍યા હતા, તેઓએ એટીએમમાંથી 28હજાર રૂપિયા ઉપાડયા હતા. બાદમાં ઘર તરફ જવા નીકળ્‍યા હતા ત્‍યાં તેઓને એક અજાણ્‍યો વ્‍યક્‍તિ મળ્‍યો જેણે જણાવ્‍યું કે હું ઉત્તર-દેશનો રહેવાસી છે અને મારે મારા માતા-પિતાને એક લાખ રૂપિયા મોકલવાના છે એ જ સમયે એક બીજો વ્‍યક્‍તિ આવ્‍યો અને જણાવ્‍યું હતું કે એક લાખ રૂપિયા એક સાથે બેંકમાંથી મોકલાવી શકાય એમ નથી. જેથી આપ સહકાર આપો તો અડધા પૈસા આપના ખાતામાંથી મોકલાવી દઈએ જે પૈસા આપને હું આપી દઈશ. આ વાતમાં આવી ફરિયાદી પણ તૈયાર થઈ ગયો તો બીજા વ્‍યક્‍તિએ પહેલા વ્‍યક્‍તિને રૂમાલમાં ઢાંકેલ નોટનું બંડલ લીધું અને અશોકને આપ્‍યું હતું. અશોકે પણ એના ખાતામાંથી ઉપાડેલ 28હજાર રૂપિયા અને એનો મોબાઈલ લઈ બન્ને યુવાનો ભાગી ગયા હતા. જે અંગેની ફરિયાદ નોંધી આઇપીસી 420, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ગત 5મી ઓગસ્‍ટના રોજ એક વ્‍યક્‍તિ પ્રશાંત રાજેશ મિશ્રા (ઉ.વ.24) રહેવાસી બોઇસર- મહારાષ્‍ટ્ર અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ જેની ધરપકડ કરવામાં  આવી હતી. બાદમાં એણે ગુનો કબુલ કરતા બીજો આરોપી વિષ્‍ણુ પ્રભાકર ગુપ્તા (ઉ.વ.28) રહેવાસી બોઇસર, મહારાષ્‍ટ્ર જેને પણ 7મી ઓગસ્‍ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી.આ અંગેની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

દાનહ પોલીસ દ્વારા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે કે તેઓ સાથે આવી કોઈ ઘટના બને તો તાત્‍કાલિક પોલીસને જાણ કરે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે : 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી

vartmanpravah

મોટી દમણની નવનિર્મિત શાકભાજી અને મચ્‍છી માર્કેટનો કરાયો પ્રારંભઃ વિક્રેતાઓ અને ખરીદદારોમાં આનંદની લાગણી

vartmanpravah

વલસાડમાં 21મી જાન્‍યુઆરીએ અયોધ્‍યા આનંદ ઉજવાશે : તિથલ કિનારે 51 હજાર દીવડા પ્રગટાવાશે

vartmanpravah

Leave a Comment