Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં ‘વિશ્વ જળ દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલી વાકસ્‍પર્ધા, ચિત્રકામ અને સૂત્ર લેખન જેવી વિવિધ સ્‍પર્ધાઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના સેલવાસ ઝંડાચોક સ્‍થિત પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્રશાળામાં ‘વિશ્વ જળ દિવસ’ના ઉપલક્ષમાં ‘‘જળ સંરક્ષણ” વિષય ઉપર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જળ સંરક્ષણની આવશ્‍યકતા, સ્‍વચ્‍છ પાણી યોગ્‍ય પાણીનું મહત્‍વ તથા જળ વ્‍યવસ્‍થાપન અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાક સ્‍પર્ધા, ચિત્રકામ અને સૂત્ર લેખન જેવી સ્‍પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અને જળ સંરક્ષણનો સુંદર સંદેશ વહેતો કર્યો હતો.
સ્‍પર્ધાઓમાં શ્રેષ્ઠ ત્રણ સ્‍પર્ધકોને પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી બ્રજભૂષણ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકનંદજીની 162મી જન્‍મજયંતી રંગેચંગે ઉજવાઈ: 3000 યુવાનોએ રેલી અને સંમેલનમાં ભાગ લીધો

vartmanpravah

ભારે વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાત લેતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

vartmanpravah

આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચની પેટા ચૂંટણી માટે ઉર્વશીબેન પટેલે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ભરૂચ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

vartmanpravah

છેલ્લા ચોવિસ કલાક દરમિયાન દાદરા નગર હવેલીના સેલવાસમાં 1.35 ઈંચ જ્‍યારે ખાનવેલમાં એક ઈંચ જેટલો વરસેલો વરસાદ

vartmanpravah

Leave a Comment