Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ  દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલીના સીલી ગામના ચોકીપાડામાં સરકારી જમીન પર કેટલાક લોકોએ 9 જેટલી દુકાનો, 3 રૂમ અને 1 પતરાંનો શેડ બનાવી ગેરકાયદેસર કબ્‍જો કર્યો હોવાનુંપ્રશાસનના ધ્‍યાનમાં આવ્‍યું હતું. જેને સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્‍વ હેઠળ દાદરા નગર હવેલીના કલેક્‍ટરશ્રીના દિશા-નિર્દેશ અનુસાર સેલવાસ મામલતદારની ટીમે સ્‍થળ ઉપર પહોંચી જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ બાંધકામોને ધ્‍વંસ્‍ત કરી દીધા હતા. પ્રશાસન દ્વારા ઘણી વખત જાહેર જનતાને અનુરોધ કરાય છે કે સરકારી જમીન, પ્‍લોટ, કોતર અને નહેરો તથા વિવિધ સરકાર હસ્‍તકની જગ્‍યા ઉપર ગેરકાયદેસર અતિક્રમણ નહીં કરે અને જો કોઈએ પણ અતિક્રમણ કર્યું હોય તો જાતે જ એને હટાવી દે, નહિ તો પ્રશાસન દ્વારા તેને હટાવી દેવામાં આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહઃ ખેરડી પ્રાથમિક શાળામાં કુપોષણ નિવારણ સેમીનારનું કરાયેલું આયોજન

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

vartmanpravah

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

Leave a Comment