Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીશ્રી દ્વારા નરોલી ગામની મુલાકાત દરમ્‍યાન જાહેર જગ્‍યા ઉપર ગંદો કચરો અને ગંદુ પાણી ફેલાયેલ હોવાનું નજરમાં આવ્‍યું હતું. જેના કારણે તેઓએ નરોલી ગ્રામપંચાયતને કડક સૂચન સાથે આદેશ કર્યો હતો કે, કોઈએ પણ ગંદું પાણી ગટરમાં છોડવું નહીં અને પોતપોતાની સેફટી ટેન્‍ક તથા ખાળકૂવા પોતે બનાવી લેવા.
જો કોઈ દુકાનદારો, કંપનીના સંચાલકો અને રૂમ માલિકો એમના કેમ્‍પસની અંદર બહાર કોઈપણ પ્રકારે ખરાબ પ્‍લાસ્‍ટિકનો સંગ્રહ કરેલ હોવાનું માલૂમ પડકે કે દેખાશે તો તેમને તાત્‍કાલિક દંડ ફટકારવામાં આવશે અને તેઓનું તાત્‍કાલિક વીજ જોડાણ પણ કાપી નાંખવા માટે આદેશ કરવામાં આવશે અને નીતિ-નિયમ અંતર્ગત કડક કાર્યવાહી સ્‍વરૂપે લાયસન્‍સ પણ રદ્‌ કરવામાં આવશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતમાં આવેલ તમામ દુકાનદારો હોટલ માલિક કંપનીના સંચાલકો અને રૂમ માલિકોને સૂચના આપવામાં આવે છે કે દુકાનદારો લારી-ગલ્લા સ્‍ટોર વગેરે ખરાબ-ખોટી અને નકામી વસ્‍તુઓ જેવી કે પ્‍લાસ્‍ટિક થેલી, તંબાકુ-ગુટખા રાખવા નહિ. કોઈપણ દુકાનદારો કે લારી ગલ્લાઓ પણ ખરાબ-નકામી વસ્‍તુઓ મળશે તો તેઓને ચલણ આપી દંડ ફટકારવામાં આવશે. નોટિસ મળ્‍યા બાદ કચરો કે ગંદકી જોવા મળશે તો વધુ દંડ કરવામાં આવશે.
સ્‍વચ્‍છતા જાળવવા માટે નરોલી ગ્રામ પંચાયતની હદ વિસ્‍તારમાં ફરતા સફાઈના ટેમ્‍પો કોઈક સ્‍થળે નહીં આવતો હોય તો તે માટે સફાઈ અભિયાન સુપરવાઈઝરનો સંપર્ક કરવાપણ જણાવાયું છે.
અત્રે યાદ રહે કે, દરેક દુકાનદાર, સ્‍ટોર સંચાલકો, લારી-ગલ્લા ચલાવનાર, ચિકન-મટન વેચનાર, હોટલ વગેરે તમામે કાગળ તેમજ કાપડની જ થેલીઓનો ઉપયોગ કરવાનો રહેશે.

Related posts

વલસાડ જિલ્લામાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્‍ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

દમણ ન.પા.ના ચીફ ઓફિસર સંજામ સિંઘના નેતૃત્‍વમાં દમણ ન.પા.ના ફિલ્‍ડ સુપરવાઈઝરો હવે યુનિફોર્મ, આઈકાર્ડ તથા સેફટી શુઝમાં દેખાશેઃ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ કરેલું વિતરણ

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહ જિલ્લાને કુપોષણ, ટી.બી. અને રક્‍તપિત મુક્‍ત જિલ્લો બનાવવા શરૂ કરાયેલી કવાયત

vartmanpravah

વલસાડ શહેર/તાલુકા ભાજપની આગામી કાર્યક્રમો અંતર્ગત અગત્‍યની મીટિંગ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે યોજાઈ

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા આયોજિત રક્‍તદાન શિબિરમાં 66 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

Leave a Comment