March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

નવિન પુલ બનાવવા માટે જુનો પુલ તોડી નાખવાનો છે : હજારો વાહન ચાલકોની મુસીબતનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ ફોર લાઈન નવો બનાવવાનો હોવાથી બુધવારે મધરાતે 12 વાગે જાહેરનામા મુજબ અવર જવર માટે બંધ કરી દેવાયો હતો. પાલિકા કર્મચારીઓએ વિધિવત પુલની બન્ને સાઈડ આડશો બાંધી જાહેરનામાની નોટીસ મારી પુલ હવેથી આગળનો બે-એક વર્ષ સુધી બંધ રહેશે.
વાપીમાં 142 કરોડના ખર્ચે ફોરલાઈન નવિન પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે તે માટે પુલ બંધ પણ કરી દેવાયો છે પરંતુ બહાર ગામના અજાણ્‍યા વાહન ચાલકો તો બેખબર હોય તેથી પુલ સુધી પહોંચી જશે અને પાછા ફરવાની ફરજ બનશે. તેથી પુલ સુધી પહોંચતા તમામ રોડ ઉપર મોટા સાઈનબોર્ડ-નોટિસ મારવી પડશે. નહીતર ટ્રાફિકની અંધાધુધી ઉભી થશે. હાલ પણ રોજના 30 થી 40 હજાર વાહનોની અવરજવર માટેની સમસ્‍યાનો પ્રારંભ થઈ ગયો છે. સુચિત કરેલા ડાઈવર્ઝન ઉપર ટ્રાફિક ટર્ન કરાવાઈ રહ્યો છે. કંઈ મેળવવા માટે કંઈક ગુમાવવું પડે તેવું માની વાહન ચાલકો પણ ટેવાઈ જશે.

Related posts

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપીમાં પ્રિમિયર લીગનું દબદબાપૂર્વક થયેલો પ્રારંભ: નાણામંત્રીએ ઉદ્દઘાટન કર્યું

vartmanpravah

વાપી-વલસાડ સહિત જિલ્લામાં મધરાતે ગાજવીજ કડાકા સાથે તોફાની વરસાદ પડયો

vartmanpravah

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

vartmanpravah

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વાપીમાં ૨૨મી માર્ચે ચાર વર્ષ પહેલાં કોરોનાના લોકડાઉન કફર્યુના કાળા કાળની યાદગીરી તાજી કરી

vartmanpravah

Leave a Comment