(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલીના સીલી ગામના ચોકીપાડામાં સરકારી જમીન પર કેટલાક લોકોએ 9 જેટલી દુકાનો, 3 રૂમ અને 1 પતરાંનો શેડ બનાવી ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાનુંપ્રશાસનના ધ્યાનમાં આવ્યું હતું. જેને સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ દાદરા નગર હવેલીના કલેક્ટરશ્રીના દિશા-નિર્દેશ અનુસાર સેલવાસ મામલતદારની ટીમે સ્થળ ઉપર પહોંચી જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ બાંધકામોને ધ્વંસ્ત કરી દીધા હતા. પ્રશાસન દ્વારા ઘણી વખત જાહેર જનતાને અનુરોધ કરાય છે કે સરકારી જમીન, પ્લોટ, કોતર અને નહેરો તથા વિવિધ સરકાર હસ્તકની જગ્યા ઉપર ગેરકાયદેસર અતિક્રમણ નહીં કરે અને જો કોઈએ પણ અતિક્રમણ કર્યું હોય તો જાતે જ એને હટાવી દે, નહિ તો પ્રશાસન દ્વારા તેને હટાવી દેવામાં આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.