March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહઃ ખેરડી પ્રાથમિક શાળામાં કુપોષણ નિવારણ સેમીનારનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: દાદરા નગર હવેલીના ખેરડી સરકારી પ્રાથમિક શાળામાં પોષણ અને આરોગ્‍ય શિક્ષણ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્‍વાગત ગીત પ્રસ્‍તુત કરી કરવામાં આવી હતી. ત્‍યારબાદ ઇન્‍ડીયન કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલ્‍ફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે પોષક તત્‍વો અંગે બાળકોને જાણકારી આપી હતી અને કુપોષણ દૂર કરવા માટે યોગ્‍ય પોષક સંતુલિત ભોજન અને સસ્‍તા સરળ પોષક આહારની વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ અવસરે દર્શન એક્‍સઈસન્‍સ ખેરડીના મેનેજર શ્રી ગોવિન્‍દ શેખાવત દ્વારા પોષણ યુક્‍ત આહાર અંગે ચર્ચા સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે એચ.એમ. વલ્લભ નાકરે દ્વારા પણ આહાર અનેવિહાર અંગે જાણકારી આપી હતી. બાદમાં મેનેજર શ્રી ગોવિન્‍દા સિંહ શેખાવત અને સેલ્‍સ મેનેજર શ્રી દિપક દ્વારા પૌષ્‍ટિક ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી સુમન દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડમાં સોનલ બીજની ઉજવણી પ્રસંગે આયોજિત ભજન, સંતવાણીની રમઝટમાં રૂપિયાની નોટોનો વરસાદ

vartmanpravah

ઉમરગામ પાલિકાના વિકાસની રફતાર તેજ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ આપેલી વેલકમ કિટઃ પાઠવેલી શુભકામના

vartmanpravah

ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ પ્રસંગે આયોજિત વિશેષ ગ્રામસભામાં દમણવાડા ગ્રા.પં.એ ગરીબી નિવારણ માટે શિક્ષણને અમોઘ શષા બનાવવા લીધેલો સંકલ્‍પ

vartmanpravah

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ લૉ કોલેજમાં દીક્ષાંત સમારોહ યોજાયોઃ 75 સ્‍ટુડન્‍ટને મળી એલએલબીની ઉપાધિ

vartmanpravah

Leave a Comment