Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહઃ ખેરડી પ્રાથમિક શાળામાં કુપોષણ નિવારણ સેમીનારનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: દાદરા નગર હવેલીના ખેરડી સરકારી પ્રાથમિક શાળામાં પોષણ અને આરોગ્‍ય શિક્ષણ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્‍વાગત ગીત પ્રસ્‍તુત કરી કરવામાં આવી હતી. ત્‍યારબાદ ઇન્‍ડીયન કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલ્‍ફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે પોષક તત્‍વો અંગે બાળકોને જાણકારી આપી હતી અને કુપોષણ દૂર કરવા માટે યોગ્‍ય પોષક સંતુલિત ભોજન અને સસ્‍તા સરળ પોષક આહારની વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ અવસરે દર્શન એક્‍સઈસન્‍સ ખેરડીના મેનેજર શ્રી ગોવિન્‍દ શેખાવત દ્વારા પોષણ યુક્‍ત આહાર અંગે ચર્ચા સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે એચ.એમ. વલ્લભ નાકરે દ્વારા પણ આહાર અનેવિહાર અંગે જાણકારી આપી હતી. બાદમાં મેનેજર શ્રી ગોવિન્‍દા સિંહ શેખાવત અને સેલ્‍સ મેનેજર શ્રી દિપક દ્વારા પૌષ્‍ટિક ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી સુમન દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

vartmanpravah

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

vartmanpravah

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

vartmanpravah

પારડીમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્‍તે 4 કરોડ 50 લાખના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

vartmanpravah

Leave a Comment