Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: અનંત શ્રી વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્‍વામી નરેન્‍દ્રાચાર્યજી મહારાજશ્રીનો તા.31-01-2023ના મંગળવારે સ્‍વામી વિવેકાનંદ સભાગૃહ, દમણ સરકારી કોલેજની બાજુમાં, દુનેઠા રોડ, નાની દમણ ખાતે એક દિવસીય સમસ્‍યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્‍સવ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતથી સ્‍વામીજીના અનુયાયીઓ અને ભક્‍તો દર્શનનો લાભ લેવા મોટી સંખ્‍યામાં આવનાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સ્‍વામીજીનું અમૃતતુલ્‍ય પ્રવચન અને માર્ગદર્શનનો અચૂક લાભ લેવા માટે જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે. કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન છે.
ઉપરોક્‍ત કાર્યક્રમનું આયોજન સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય ઉપપીઠ ગુજરાત રાજ્‍યના હેઠળ યજમાન દમણ જિલ્લા સેવા સમિતિ અને ભક્‍તમંડળ કરનાર છે.

Related posts

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

દમણઃ કચીગામની હાયર સેકેન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓએ કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસમાં ભંડારી સમાજ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment