Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: અનંત શ્રી વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્‍વામી નરેન્‍દ્રાચાર્યજી મહારાજશ્રીનો તા.31-01-2023ના મંગળવારે સ્‍વામી વિવેકાનંદ સભાગૃહ, દમણ સરકારી કોલેજની બાજુમાં, દુનેઠા રોડ, નાની દમણ ખાતે એક દિવસીય સમસ્‍યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્‍સવ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતથી સ્‍વામીજીના અનુયાયીઓ અને ભક્‍તો દર્શનનો લાભ લેવા મોટી સંખ્‍યામાં આવનાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સ્‍વામીજીનું અમૃતતુલ્‍ય પ્રવચન અને માર્ગદર્શનનો અચૂક લાભ લેવા માટે જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે. કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન છે.
ઉપરોક્‍ત કાર્યક્રમનું આયોજન સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય ઉપપીઠ ગુજરાત રાજ્‍યના હેઠળ યજમાન દમણ જિલ્લા સેવા સમિતિ અને ભક્‍તમંડળ કરનાર છે.

Related posts

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah

દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબને પટેલે વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરી મહિલાઓને આત્‍મનિર્ભર બનવા આપેલી પ્રેરણા

vartmanpravah

નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની મંડળની સામાન્‍ય સભા અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

vartmanpravah

લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનો ઐતિહાસિક વિજય

vartmanpravah

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

Leave a Comment