(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: અનંત શ્રી વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજશ્રીનો તા.31-01-2023ના મંગળવારે સ્વામી વિવેકાનંદ સભાગૃહ, દમણ સરકારી કોલેજની બાજુમાં, દુનેઠા રોડ, નાની દમણ ખાતે એક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતથી સ્વામીજીના અનુયાયીઓ અને ભક્તો દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં આવનાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સ્વામીજીનું અમૃતતુલ્ય પ્રવચન અને માર્ગદર્શનનો અચૂક લાભ લેવા માટે જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે. કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન છે.
ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન સ્વસ્વરૂપ સંપ્રદાય ઉપપીઠ ગુજરાત રાજ્યના હેઠળ યજમાન દમણ જિલ્લા સેવા સમિતિ અને ભક્તમંડળ કરનાર છે.