July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્‍યુ છે. પ્રથમ દિવસે શક્‍તિ કળશની સ્‍થાપના કરવામાં આવી અને સેલવાસ નગરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી. નગર યાત્રા બાદ દીપ યજ્ઞ કરવામાં આવ્‍યો. દીપ યજ્ઞના માધ્‍યમથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે પ્રભાતયાત્રા બાદ ધર્મધજાનું આરોહણ કરવામાં આવેલ અને ત્‍યારબાદ 24 કુંડી યજ્ઞનો આરંભ કરવામાં આવ્‍યો હતો. યજ્ઞ સંપન્ન થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા સેલવાસના પ્રજાજનોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવ્‍યો છે. આ યજ્ઞ હરિદ્વારથી આવેલ સમૂહ દ્વારા કરવામાં આવ્‍યો છે. જેમનો હેતુ ગાયત્રી મંત્રનો મહિમા ઘરે ઘરે પહોંચાડવાનો છે.

Related posts

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ ન.પા.ના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કાઉન્‍સિલરો સાથે બેઠક કરી નાણાં સચિવે ભણાવેલા સ્‍વચ્‍છતાના પાઠ

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલમાં ઈન્‍વેસ્‍ટિચર સેરમની કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment