April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, 0૮: વલસાડ જિલ્લાની જાહેર જનતા જોગ જણાવવાનું કે, વલસાડથી ગુંદલાવ થઈ ખેરગામ તરફ જતા SH-૬૭ ઉપર ગોરવાડા ગામ પાસે આવેલા ક્રોસિંગ બ્રિજ નં. ૮૫૯ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટની સ્થાપના માટે ગુંદલાવ-ખેરગામ રોડને થોડા સમય માટે બંધ કરવો જરૂરી જણાય છે. ઉપરોક્ત હકીક્ત ધ્યાને લઈ જાહેર જનતાને વિનંની કરવામાં આવે છે કે, ગુંદલાવ – ખેરગામ રોડને બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટની કામગીરી માટે તા.૯-૫-૨૦૨૩ થી તા.૧૧-૦૫-૨૦૨૩ સુધી રાત્રીના ૨૨-૩૦ કલાકથી વહેલી સવારના ૪-૦૦ કલાક સુધી વાહન વ્યવહાર માટે બન્ને બાજુથી બંધ રાખવામાં આવનાર છે. જેથી ગુંદલાવ થી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ તરફ વાહનો આવન-જાવન કરી શકશે નહી. આ રૂટ પરથી પસાર થતા વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે આ મુજબ છે. ગુંદલાવ થી ખેરગામ તથા ખેરગામ થી ગુંદલાવ જતા ફક્ત નાના વાહનો ગોરવાડા ત્રણ રસ્તા થઈ ગોરવાડા ગ્રામ પંચાયત થઈ પાલણ ફાટક થઈ ખેરગામ રોડ તરફ અવર-જવર કરી શકશે. જેની સર્વે જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

વાપી ચાર રસ્‍તા ઉપર યુવાનની કરપિણ હત્‍યાનો ભેદ ઉકેલાયો : કુહાડીથી ઘા કરનાર મુખ્‍ય આરોપી હજુ ફરાર

vartmanpravah

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકા સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા હક અને અધિકાર માટે મામલતદારને આવેદન આપી રાજ્‍યપાલનુ દોરેલું ધ્‍યાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

vartmanpravah

ઘરને તાળું મારી પારડી બાલાખાડીની યુવતી ચાલી ગઈ

vartmanpravah

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

Leave a Comment