Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્‍યુ છે. પ્રથમ દિવસે શક્‍તિ કળશની સ્‍થાપના કરવામાં આવી અને સેલવાસ નગરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી. નગર યાત્રા બાદ દીપ યજ્ઞ કરવામાં આવ્‍યો. દીપ યજ્ઞના માધ્‍યમથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે પ્રભાતયાત્રા બાદ ધર્મધજાનું આરોહણ કરવામાં આવેલ અને ત્‍યારબાદ 24 કુંડી યજ્ઞનો આરંભ કરવામાં આવ્‍યો હતો. યજ્ઞ સંપન્ન થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા સેલવાસના પ્રજાજનોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવ્‍યો છે. આ યજ્ઞ હરિદ્વારથી આવેલ સમૂહ દ્વારા કરવામાં આવ્‍યો છે. જેમનો હેતુ ગાયત્રી મંત્રનો મહિમા ઘરે ઘરે પહોંચાડવાનો છે.

Related posts

પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્‍ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં સોમવારે મળસ્‍કે વાંકલમાં ઝાડ સાથે 108 ભટકાઈ : તેમજ વિરવલમાં ટામેટાની ટ્રકે પલટી મારી

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

ધરમપુર માન નદીના પુલ ઉપરથી ભૂસકો મારી યુવકે મોત વહાલું કર્યું

vartmanpravah

Leave a Comment