December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્‍યુ છે. પ્રથમ દિવસે શક્‍તિ કળશની સ્‍થાપના કરવામાં આવી અને સેલવાસ નગરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી. નગર યાત્રા બાદ દીપ યજ્ઞ કરવામાં આવ્‍યો. દીપ યજ્ઞના માધ્‍યમથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે પ્રભાતયાત્રા બાદ ધર્મધજાનું આરોહણ કરવામાં આવેલ અને ત્‍યારબાદ 24 કુંડી યજ્ઞનો આરંભ કરવામાં આવ્‍યો હતો. યજ્ઞ સંપન્ન થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા સેલવાસના પ્રજાજનોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવ્‍યો છે. આ યજ્ઞ હરિદ્વારથી આવેલ સમૂહ દ્વારા કરવામાં આવ્‍યો છે. જેમનો હેતુ ગાયત્રી મંત્રનો મહિમા ઘરે ઘરે પહોંચાડવાનો છે.

Related posts

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

ધરમપુર તા.ના યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી સામે શિક્ષાત્‍મક કાર્યવાહીકરવાની ધારાસભ્‍યને લેખિત ફરીયાદ કરાઈ

vartmanpravah

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

vartmanpravah

Leave a Comment