Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્‍ઝરી બસ પલટી મારી ગઈ : બે મુસાફરના મોત, છ ઘાયલ

લક્‍ઝરી બસ રાજસ્‍થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી : છરવાડા રોડ નજીક પેટ્રોલ પમ્‍પ પાસે સર્જાયેલો અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી નેશનલ હાઈવે ઉપર આજે મંગળવારે મળસ્‍કે ડ્રાઈવરને ઝોકું આવી જતા અચાનક લક્‍ઝરી બસ પલટી મારી જતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બે મુસાફરોના ઘટના સ્‍થળે મોત નિપજ્‍યા હતા. જ્‍યારે અન્‍ય છ મુસાફરો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ લક્‍ઝરી બસ નં.એઆરઓ 1ટી 2189 રાજસ્‍થાન ભીલવાડા થી મુસાફરો ભરીને મુંબઈ જવા માટે નિકળી હતી. આજે મંગળવારે મળસ્‍કે 3 થી 4 વાગ્‍યાના સુમારે લક્‍ઝરી બસ ચાલકને ઝોકું આવી જતા હાઈવે છરવાડા રોડ પાસે આવેલ ઈન્‍ડિયન પેટ્રોલ પમ્‍પની સામે લક્‍ઝરી બસ પલટી મારી ગઈહતી. મીઠી નિંદર માણી રહેલા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. ગમખ્‍વાર અકસ્‍માતમાં એક પુરુષ અને એક મહિલા મુસાફરનું ઘટના સ્‍તળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય છ ઘાયલ મુસાફરોને નજીકની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઘટનાની જાણ થતા ટાઉન તથા જીઆઈડીસી પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી આવી આગળની તજવીજ હાથ ધરીહ તી. પોલીસે ભોગ બનનાર મુસાફરોની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah

Leave a Comment