December 1, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

આગ લાગવાનું કારણ ચૂંટણી અદાવત હોવાનું ચર્ચામાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે રાત્રે એક દુકાનમાં આગ લાગતા દુકાનનો તમામ સરસામાન બળીને રાખ થઈ જવા પામ્‍યો હતો. મધરાતે લાગેલી આગને લઈને ગામમાં દોડધામ મચી જવા પામી હતી.
કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે મધરાતે અનાજ કિરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દુકાનનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે દુકાન બંધ હોવાથી અન્‍ય જાન હાની થવા પામી નહોતી. રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી ગામમાં ચર્ચાઓ એવી પણ ચાલી રહી હતી કે ચૂંટણી અદાવતમાં કોઈ ઈસમોએ દુકાનમાં આગ લગાડી હશે. કારણ જે હોય તે પણ ઘટના સ્‍થળે ફાયર બ્રિગેડ આવ્‍યા બાદ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ કરી લેવાયો હતો.

Related posts

પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ દાનહના બેસદા, વાંસદા અને સિંદોનીના ત્રિજંક્‍શન ખાતે 1410 ફૂટના સૌથી ઊંચા શિખર પર ચડીને રાષ્ટ્રધ્‍વજ ફરકાવ્‍યો

vartmanpravah

પારડીમાં બે સ્‍થળોથી જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્‍કયુ કર્યું

vartmanpravah

સુરત દક્ષિણ ઝોન કક્ષાનો કલા ઉત્‍સવમાં વલસાડ જિલ્લાના કપરાડાની વિદ્યાર્થિની પ્રગતિ તૃતીય સ્‍થાને વિજેતા

vartmanpravah

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહને દમણની મુલાકાત લઈ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

Leave a Comment