Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલોટી સહિત ચીખલી પંથકમાં ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિની કેક કાપી કરાયેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: અંજનિપુત્ર હનુમાનજીની જન્‍મજયંતિ ને પગલે વહેલી સવારથી જ ગામે ગામ હનુમાન દાદા મંદિરે ભક્‍તો મોટી સંખ્‍યામાં ઉમટી પડી હનુમાનજીને તેલ, સિંદૂર, કાળા તલ, આંકડાના ફૂલ વિગેરે ચઢાવી પૂજા-અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.
ચીખલીના ઘેજ ગામે ખરેરા નદીના તટે આવેલા સ્‍વયંભુ પંચમુખી હનુમાન દાદાના પૌરાણીક મંદિરના જીણોધ્‍ધાર બાદ પ્રથમ પાટોત્‍સવ પણ હનુમાન જયંતિની ઉજવણી સાથઈ યોજાતા વહેલી સવારથી જ ભુદેવોના મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. દિવસભર ભક્‍તોની ભીડ જામી હતી. અને મહાપ્રસાદનો પણ અનેક ભક્‍તોએ લાહ્વો લીધો હતો. આ ઉપરાંત ઘેજ ગામના મોટા ડુંભરીયા તથા ચરી ગામના બારભૈયા ફળીયા સ્‍થિત હનુમાન દાદાના મંદિરે પણ હનુમાન ચાલીસાના પાઠ અને સત્‍યનારાયણ ભગવાનની કથા અને મહાપ્રસાદ યોજાયો હતો જ્‍યારે વલોટી ગામે પણ હનુમાન જયંતિની ભવ્‍ય ઉજવણી સાથે કેક કાપી મહાપ્રસાદ ભક્‍તોએ લીધો હતો. તાલુકાના રૂમલા ગામે હનુમાન દાદરા ફળીયા, બરડીપાડા કાળીયાપહાડ અને મંગળપાડામાં પણ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે હનુમાન જયતિની ભવ્‍ય ઉજવણી કરાઈહતી. કુકેરી ગામના હનુમાન ફળીયા સ્‍થિત પણ વહેલી સવારથી જ યજ્ઞ યોજાતા અનેક ભક્‍તોએ ભાગ લઈ આહુતિ આપી હતી. આ ઉપરાંત ખૂંધમાં સાતપીપળા સ્‍થિત સુતેલા હનુમાન દાદાના મંદિરે પણ ભક્‍તોની ભીડ જામી હતી. અને મહાપ્રસાદનો પણ અનેક ભક્‍તોએ લાહ્વો લીધો હતો. તાલુકાના ખાંભડા, તલાવચોરા, ચીખલી, સોલધરા, ફડવેલ સહિત ગામે ગામ હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના પાઠ, ભજન કીર્તન, યજ્ઞ, મહાપ્રસાદ સાથે હનુમાન જયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ હતી.

Related posts

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

vartmanpravah

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

Leave a Comment