(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિર્દેશઅનુસાર હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકામાં બામટી ગામે આદિજાતિ વિભાગના આદર્શ નિવાસી શાળાના હોલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંપૂર્ણ સંચાલન જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આદર્શ નિવાસી શાળાના પી.ટી. શિક્ષક પ્રકાશભાઈ પટેલ, કપરાડા નિવાસી શાળા બામટીના જન્મય પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ શિવમ ગુપ્તા, યોગ ટ્રેનર રેણુકા નિમાવત, ક્રિશા નિમાવત અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સરસ્વતી સાધના વિદ્યાલયની બાળાઓએ લોક નૃત્યની કળતિ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.