Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલી તાલુકામાં સેવા સદનમાં પુરવઠા શાખામાં રેશનકાર્ડની કામગીરીના નિયત કરાયેલા દિવસે જ નાયબ મામલતદાર લાંબો સમય સુધી કચેરીમાં ઉપસ્‍થિતિ ન રહેતા ભીડ થવા સાથે અરજદારોએ હાલાકી વેઠવાની નોબત આવી હતી. પુરવઠા શાખા કચેરીએ પ્રજાજનોની લાંબી કતાર લાગી છતાં શ્રીમાન શ્રીમહાસય નાયબ મામલતદારશ્રીની ખુરશી લાંબા સમયથી ખાલી દેખાતાં પ્રજાનો ગુસ્‍સો સાત્‍વા આસમાને છે એવામાં શ્રીમાન કયાં લુપ્ત થયા એની જાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારશ્રીને પણ નહિ ખબર.
ચીખલીમાં સેવા સદનમાં પુરવઠા શાખામાં રેશનકાર્ડમાંનામ ઉમેરવા, કમી કરવા, સુધારવા સહિત રેશનકાર્ડને લગતી કામગીરી બુધવારના રોજ કરવામાં આવે છે. જેને લઈને દર બુધવારે અરજદારોનો ધસારો રહેતો હોય એ સ્‍વાભાવિક છે. પરંતુ ગત રોજ એટલે કે બુધવારના દિવસે પુરવઠા શાખાના નાયબ મામલતદારની ખુરશી લાંબા સમય સુધી ખાલી જોવા મળી હતી. અને એક સમયે અરજદારોની ભીડ વધી જતાં અને અરજદારોએ લાંબા સમય સુધી ઉભી રહેવાની સ્‍થિતિ ઉભી થતા અરજદારોમાં પણ કચવાટ ફેલાયો હતો. પુરવઠા શાખાનો અધિકારી મોટાભાગે મોબાઈલમાં જ વ્‍યસ્‍ત રહી અરજદારોને યોગ્‍ય જવાબ પણ ન આપતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ખાસ કરીને બુધવારના દિવસે કચેરીમાં હાજર રહી અરજદારોને હાલાકી ન પડે અને ઝડપભેર લોકોના કામોનો નિકાલ થાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ પરંતુ આ અધિકારીને લોકોના કામમાં રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિક દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીનું પણ ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. જોકે ગરીબ અને મધ્‍યમવર્ગ સાથે સીધું જોડાણ ધરાવતી પુરવઠા શાખામાં પ્રજાલક્ષી અભિગમ વાળા અધિકારીની નિયુક્‍તિ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રસ દાખવે તે જરૂરી છે.
મામલતદાર રોશનીબેન પટેલનો પુરવઠા શાખામાં ફરજ દરમ્‍યાન નાયબ મામલતદારની ગેરહાજરીબાબતે સંપર્ક કરતા તેમણે કલેક્‍ટર કચેરીમાં મિટિંગમાં હતી. અને આ બાબતે હું તપાસ કરાવી લઉં છું એમ જણાવ્‍યું હતું.

Related posts

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

Leave a Comment