April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવક)
દમણ, તા.17: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ સચિવ શ્રી ટી.અરૂણ કુમાર અને શિક્ષકણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ 9મી મે, 2023 થી 17મી મે 2023 દરમિયાન ઝરી આશ્રમ શાળા ખાતે 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પપ થી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, 9 મે થી 17 મે દરમિયાન આયોજિત આ 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પના સમાપન સમારોહમાં એડીઈ શ્રી રાજેશ હળપતિ, ડીપીઓ શ્રીમતી સ્‍મિતા થોમસ, શ્રી યોગેશ મોડાસિયા, શ્વેતલ પટેલ અનેએમઆઈએસ કો-ઓર્ડિનેટર અને અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ સમર કેમ્‍પમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષામાં તેમની મૂળભૂત બાબતો પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું. વૈજ્ઞાનિક વિચાર, માનવતાવાદ અને પુછપરછની ભાવના કેળવી અને બાળકોને ઉચ્‍ચ અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કર્યા હતા સાથે વાર્તાલાપ, સ્‍પર્ધા માટેનું પ્‍લેટફોર્મ અને રમત-ગમત અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓમાં બાળકોની સક્રિય ભાગીદારીને પ્રોત્‍સાહિત કરવા માટેનું પ્‍લેટફોર્મ પૂરું પાડવામાં આવ્‍યું હતું.
એડીઈ શ્રી રાજેશ હળપતિએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓને નિવાસી સમર કેમ્‍પમાં સક્રિયપણે ભાગ લેવા માર્ગદર્શન અપાયું હતું. શ્વેતલ પટેલ, એમઆઈએસ કો-ઓર્ડિનેટરએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને 10 દિવસીય સમર કેમ્‍પના સફળ આયોજન બદલ તમામ બાળકો અને શિક્ષકોનો આભાર માન્‍યો હતો. આ કાર્યક્રમના સમાપન પ્રસંગે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

vartmanpravah

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં મતદાર જાગૃતિ માટે દમણમાં ‘સ્‍વીપ’ પ્રવૃત્તિઓ માટેના નોડલ ઓફિસર દ્વારા માસ્‍કોટ અને રાષ્ટ્રગીતનું કરાયેલું અનાવરણ

vartmanpravah

ચીખલી આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિત્તે

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

Leave a Comment