June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મચ્‍છી વિક્રેતાઓનો પાલિકામાં હલ્લાબોલ : માર્કેટમાં ગાળાના દૈનિક 100ની વસુલાતનો વિરોધ

એક ગાળામાં બે બે બેસાડવાના તખલદી નિર્ણય તેમજ પરિવારમાં ત્રણ-ત્રણ ગાળાની ફાળવણીનો વિરોધ : બહેનોએ મોરચો કાઢયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીમાં નગરપાલિકા દ્વારા મચ્‍છી માર્કેટના ગાળા બનાવી એક વ્‍યવસ્‍થાની સગવડ કરાઈ છે. ખુલ્લામાં મચ્‍છી વેચાણ થતી હતી તેનું માર્કેટ સ્‍વરૂપ અપાયું છે. પરંતુ પાલિકાની આ યોજનાનો મચ્‍છી વિક્રેતા બહેનોએ પાલિકાના કેટલા નિર્ણયો અમલવારી માટે બહેનો અને પાલિકામાં પહોંચી હંગામો મચાવી તેમની માંગણીની પાલિકા પ્રમુખ સમક્ષ ઉચ્‍ચ રજૂઆત કરી હતી.
વાપી જુના મચ્‍છી માર્કેટમાં પાલિકા દ્વારા વેચાણ માટે ગાળાઓ બનાવી મચ્‍છી વેચાણ કરતા ભાઈઓ, બહેનોને સુવિધા ઉભી કરી આપવામાં આવી છે. પરંતુ આ સુવિધા માટે ગાળા દીઠ દરરોજ 100 રૂા. ભાડુ વસુલાય છે તેનો મચ્‍છી વિક્રેતાઓ બુધવારે એકત્ર થઈને પાલિકામાં મોરચો માંડયો હતો. તેઓના જણાવ્‍યા અનુસાર અમુક અમુક ગાળામાં એકથી વધુ લોકોને માછલી વેચાણ માટે ફાળવણી કરાઈ છે તેનો તેમને સખ્‍ત વિરોધ કર્યો હતો. સાથે સાથે એક જ પરિવારમાં ત્રણ કે ચાર ગાળાની ફાળવણી કરી છે તે ગેરકાયદે છે તેવુ જણાવી સખ્‍ત વિરોધ કર્યો હતો. માછલી વિક્રેતાઓ પોતાની માગણીનું સમાધાન નહી થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્‍ચારી હતી.

Related posts

આજે દાનહ બેઠક ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર હજારો કાર્યકર્તા અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

vartmanpravah

દીવ સહિત પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં કાઉન્‍સિલર બનીને રૂપિયા કમાવાની ભાવના રાખનારાઓના પુરા થયેલા દિવસો

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ

vartmanpravah

દમણ દલવાડામાં ભંડારી પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment