April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના શિક્ષણ વિભાગની જ્ઞાન સેતુ, જ્ઞાન શક્‍તિ સહિતની શાળાઓમાં ધો.6માં પ્રવેશ માટે પરીક્ષા યોજાઈ

નવસારી જિલ્લાના પ8 કેન્‍દ્રો પર ધો. પના 9693 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ 5698 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: રાજ્‍ય સરકાર દ્વારા સ્‍કૂલ ઓફ એક્‍સેલન્‍સ અંતર્ગત પીપીપી ધોરણે શરૂ થનાર જ્ઞાન શક્‍તિત રેસિડેન્‍સીયલ જ્ઞાનસેતુ-ડે સ્‍કૂલ, જ્ઞાન શક્‍તિ ટ્રાયબલ રેસિડેન્‍સીયલ અને રક્ષા શક્‍તિ જેવી સ્‍કૂલોમાં ધોરણ-6માં પ્રવેશ મેળવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની નિગરાણીમાં પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી. આ માટે ચીખલી સહિત જિલ્લાભરના કુલ 15,382 જેટલા ધોરણ-5 ના વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્‍યા હતા.
ચીખલી સાથે જિલ્લાના 58 જેટલા પરીક્ષા કેન્‍દ્રો પર આજરોજ યોજાયેલ આ ધોરણ-6માં પ્રવેશ માટેની 9693 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 5689 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા આ શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ઉત્‍સાહ ઓછો જોવા મળ્‍યો હતો.
આ પરીક્ષા બાદ તમામ પ્રકારની સ્‍કૂલોનું મેરીટ લિસ્‍ટ તૈયાર કરી વિદ્યાર્થીઓએ પસંદ કરેલા વિકલ્‍પના આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્‍યું હતું .ચીખલી તાલુકામાંથી 2636, ગણદેવી-774, નવસારી-જલાલપોર-2663, ખેરગામ-619 અને વાંસદા-2969 જેટલા ધોરણ-5 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Related posts

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને પંચાયતીરાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઐતિહાસિક બનેલી ઉજવણી

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

દાનહમાં જાન્‍યુ. ફેબ્રુ.-2023માં તીરંદાજી સંઘ દ્વારા થનારૂં સ્‍પર્ધાનું આયોજનઃ વિવિધ પંચાયતોમાં તીરંદાજીના વર્ગોની થનારી શરૂઆત

vartmanpravah

Leave a Comment