Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના શિક્ષણ વિભાગની જ્ઞાન સેતુ, જ્ઞાન શક્‍તિ સહિતની શાળાઓમાં ધો.6માં પ્રવેશ માટે પરીક્ષા યોજાઈ

નવસારી જિલ્લાના પ8 કેન્‍દ્રો પર ધો. પના 9693 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ 5698 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: રાજ્‍ય સરકાર દ્વારા સ્‍કૂલ ઓફ એક્‍સેલન્‍સ અંતર્ગત પીપીપી ધોરણે શરૂ થનાર જ્ઞાન શક્‍તિત રેસિડેન્‍સીયલ જ્ઞાનસેતુ-ડે સ્‍કૂલ, જ્ઞાન શક્‍તિ ટ્રાયબલ રેસિડેન્‍સીયલ અને રક્ષા શક્‍તિ જેવી સ્‍કૂલોમાં ધોરણ-6માં પ્રવેશ મેળવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની નિગરાણીમાં પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી. આ માટે ચીખલી સહિત જિલ્લાભરના કુલ 15,382 જેટલા ધોરણ-5 ના વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્‍યા હતા.
ચીખલી સાથે જિલ્લાના 58 જેટલા પરીક્ષા કેન્‍દ્રો પર આજરોજ યોજાયેલ આ ધોરણ-6માં પ્રવેશ માટેની 9693 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 5689 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા આ શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ઉત્‍સાહ ઓછો જોવા મળ્‍યો હતો.
આ પરીક્ષા બાદ તમામ પ્રકારની સ્‍કૂલોનું મેરીટ લિસ્‍ટ તૈયાર કરી વિદ્યાર્થીઓએ પસંદ કરેલા વિકલ્‍પના આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્‍યું હતું .ચીખલી તાલુકામાંથી 2636, ગણદેવી-774, નવસારી-જલાલપોર-2663, ખેરગામ-619 અને વાંસદા-2969 જેટલા ધોરણ-5 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

vartmanpravah

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્‍ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન

vartmanpravah

વાપીમાં માઁ ઉમિયાના દિવ્‍યરથનું સમસ્‍ત પાટીદાર સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

vartmanpravah

Leave a Comment