January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિવાળીના તહેવાર ટાણે જ રોશની ગુલ…! દાદરા પંચાયતમાં જર્જરીત બનેલો વીજપોલ ધરાશાયીઃ અકસ્‍માતનો તોળાતો ભય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના દાદરા ગામે પંચાયત કચેરી નજીક મેઈન રોડ પર લગાવવામાં આવેલ વીજળીનો થાંભલો છેલ્લા ઘણાં સમયથી જર્જરીત બની ગયો હતો. જે અચાનક તૂટી પડતા વિસ્‍તારમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા ગ્રામ પંચાયત કચેરી પાસે ઉભા કરાયેલ વીજપોલ છેલ્લા ઘણાં સમયથી જર્જરીત બની ગયો હતો અને જેના ઉપરની લાઈટ પણ બંધ હતી. પરંતુ એના પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યા હતા જે કેમેરા પણ અધ્‍ધર લટકેલી હાલતમાં જોવા હતા.
મળતી માહિતી પ્રમાણે અનુસાર દાદરા ગામમાં મુખ્‍ય રોડ પર વચ્‍ચે વીજળીનો થાંભલો ઉભો કરાયેલ છે પરંતુ એના ઉપરની લાઈટો ગુમ છે અને મેન્‍ટેનન્‍સના અભાવે થાંભલાઓ પણ કાટની જંજાળમાં ફસાયેલા છે. જેના કારણે ઘણાં જર્જરિત બનીને સડી ગયા છે. તેથી અગર જો પંચાયત કે પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગ દ્વારા આ તરફ ધ્‍યાન આપવામાં નહીં આવશે તો ભવિષ્‍યમાં મોટા અકસ્‍માતની પણ સંભાવના છે. અને જો એમ ને એમ સ્‍થિતિ રહી તો અન્‍ય થાંભલાઓ પણ સડીને તૂટી પડશે એમાં કોઈ શંકા નથી. તેથી દાનહમાં જ્‍યાંજ્‍યાં પણ આવા જર્જરિત થઈ ગયેલા વીજળીના થાંભલાઓને વહેલામાં વહેલી તકે કાઢીને નવા થાંભલા ઉભા નહીં કરવામાં આવશે તો મેન્‍ટેનન્‍સ અને અકસ્‍માતોમાં વધારો થશે એવી ભીતિ જોવાઈ રહી છે. તેથી તંત્રએ તાત્‍કાલિક અસરથી ઝડપી પગલાં ભરવામાં આવે અને જ્‍યાં જ્‍યાં જર્જરીત વીજળીના થાંભલાઓ દેખાય ત્‍યાં ત્‍યાં નવા થાંભલા ઉભા કરી દેવામાં આવે અને તમામ બંધ સ્‍ટ્રીટ લાઈટો ફરી ઝળહળતી કરવામાં આવે અને દિવાળીના માહોલમાં રોશનીથી ઝગમગાટ થાય એ ખુબ જ જરૂરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભદેલી જગાલાલાથી શુભારંભ કરાવતા જિ.પં. પ્રમુખ અલ્કાબેન શાહ

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં જીત મેળવતા કોગ્રેંસમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

vartmanpravah

વાપીમાં વલસાડ જિલ્લા અખિલ ભારતીય ઉપભોક્‍તા સંગઠનની મિટીંગ યોજાઈ : ગ્રાહક દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment