October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિવાળીના તહેવાર ટાણે જ રોશની ગુલ…! દાદરા પંચાયતમાં જર્જરીત બનેલો વીજપોલ ધરાશાયીઃ અકસ્‍માતનો તોળાતો ભય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના દાદરા ગામે પંચાયત કચેરી નજીક મેઈન રોડ પર લગાવવામાં આવેલ વીજળીનો થાંભલો છેલ્લા ઘણાં સમયથી જર્જરીત બની ગયો હતો. જે અચાનક તૂટી પડતા વિસ્‍તારમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા ગ્રામ પંચાયત કચેરી પાસે ઉભા કરાયેલ વીજપોલ છેલ્લા ઘણાં સમયથી જર્જરીત બની ગયો હતો અને જેના ઉપરની લાઈટ પણ બંધ હતી. પરંતુ એના પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યા હતા જે કેમેરા પણ અધ્‍ધર લટકેલી હાલતમાં જોવા હતા.
મળતી માહિતી પ્રમાણે અનુસાર દાદરા ગામમાં મુખ્‍ય રોડ પર વચ્‍ચે વીજળીનો થાંભલો ઉભો કરાયેલ છે પરંતુ એના ઉપરની લાઈટો ગુમ છે અને મેન્‍ટેનન્‍સના અભાવે થાંભલાઓ પણ કાટની જંજાળમાં ફસાયેલા છે. જેના કારણે ઘણાં જર્જરિત બનીને સડી ગયા છે. તેથી અગર જો પંચાયત કે પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગ દ્વારા આ તરફ ધ્‍યાન આપવામાં નહીં આવશે તો ભવિષ્‍યમાં મોટા અકસ્‍માતની પણ સંભાવના છે. અને જો એમ ને એમ સ્‍થિતિ રહી તો અન્‍ય થાંભલાઓ પણ સડીને તૂટી પડશે એમાં કોઈ શંકા નથી. તેથી દાનહમાં જ્‍યાંજ્‍યાં પણ આવા જર્જરિત થઈ ગયેલા વીજળીના થાંભલાઓને વહેલામાં વહેલી તકે કાઢીને નવા થાંભલા ઉભા નહીં કરવામાં આવશે તો મેન્‍ટેનન્‍સ અને અકસ્‍માતોમાં વધારો થશે એવી ભીતિ જોવાઈ રહી છે. તેથી તંત્રએ તાત્‍કાલિક અસરથી ઝડપી પગલાં ભરવામાં આવે અને જ્‍યાં જ્‍યાં જર્જરીત વીજળીના થાંભલાઓ દેખાય ત્‍યાં ત્‍યાં નવા થાંભલા ઉભા કરી દેવામાં આવે અને તમામ બંધ સ્‍ટ્રીટ લાઈટો ફરી ઝળહળતી કરવામાં આવે અને દિવાળીના માહોલમાં રોશનીથી ઝગમગાટ થાય એ ખુબ જ જરૂરી છે.

Related posts

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

vartmanpravah

દાદરા દેમણી ફળિયામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીની ઉપર સિક્‍યુરીટી ગાર્ડે ચાકુ વડે કરેલો હુમલો

vartmanpravah

વાપીના ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણ લક્ષી પહેલ: આર્યન પેકેજીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક સુનિલભાઈ શાહે કંપનીની આસપાસ 20000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું

vartmanpravah

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment