April 18, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે ડો.ભીમરાવ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દીવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બપોરે 12 કલાકે બંધારણનાઘડવૈયા કહેવાતા એવા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન દીવ જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ડો.ભીમરાવ આંબેડકરની ફોટો પાસે પુષ્‍પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્‍યારબાદ કાર્યક્રમમાં આગળ શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ દવે દ્વારા ડો.ભીમરાવ આંબેડકરના જીવન ચરિત્ર વિશેની તમામ માહિતી આપવામાં આવી હતી. તેમના દ્વારા દેશ માટે કરાયેલા કાર્યોની પણ માહિતી આપી હતી.
આ પ્રસંગે નગર પાલિકા બીજેપી દલિત મહિલા કાઉન્‍સિલર હેમલતાબેન દિનેશ સોલંકીને પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા અને નગર પાલિકા વિસ્‍તારમાં પાંચ વર્ષ દરમિયાન તેમના સરાહનિય કાર્યની પ્રસંશા બીજેપી પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહે કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મહિલા હોદેદારો અヘનિી ભરત, હેમલતાબેન દિનેશ સોલંકી, હિના સોલંકી, ચિંતન સોલંકી, ભરત બામણીયા, હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યો

vartmanpravah

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લામાં 19મીએ મોદીની બીજી જાહેર સભા યોજાશેઃ વાપીમાં રોડ શો- જૂજવામાં સભા

vartmanpravah

સેલવાસ-નરોલીના રોયલ બારના સંચાલક શર્મા અને તેના સાગરીતો દ્વારા ગુજરાત પોલીસને બાતમી આપી હોવાની શંકાથી બાતમીદાર અને તેની પત્‍નીનું અપહરણ કરી બેરેહમીથી માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ

vartmanpravah

ચીખલી નજીકના એક ગામની સગીરાને હેરાન-પરેશાન કરનાર શખ્‍સ વિરૂધ્‍ધ પોક્‍સોએક્‍ટ હેઠળ નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment