વાપી ડેપોથી સવારે 7:15 કલાકે બસ ઉપડશે : વલસાડ-અંકલેશ્વર-રાજપિંપળા થઈ જશે : સાંજે 5:30 કલાકે વાપી આવવા નિકળશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12 ગુજરાત અને દેશભરના સહેલાણીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટિ ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. તેથી મુસાફરોની માંગણી અનુસાર વાપી ડેપો દ્વારા વાપીથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે સપ્તાહમાં શનિ-રવિએ વધુ બે બસ કાર્યરત કરવામાં આવી છે.
વાપી ડેપોથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ જવા માટે બસ સવારે 7:15 કલાકે ઉપડશે. આ બસવલસાડ, સુરત, અંકલેશ્વર રાજપિંપળા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટિ પહોંચશે, ત્યાંથી સાંજે 5:30 કલાકે બસ વાપી આવવા ઉપડશે તે મોડી રાતે વાપી આવી પહોંચશે. વલસાડ જિલ્લાના સ્થાનિક ટુરિસ્ટ અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નિરંતર સ્ટેચ્યુ ઓફ યુનિટિના પ્રવાસો યોજાતા રહે છે. તેથી વધુ એસ.ટી. બસ સેવાની મુસાફરો દ્વારા વારંવાર માંગ ઉઠતા વાપી ડેપો દ્વારા વધુ બે ટ્રીપ શનિ-રવિ એ સપ્તાહમાં બે વાર કાર્યરત કરી દેવાઈ છે. તેવુ જાણવા મળ્યુ છે.