Vartman Pravah
ગુજરાતવાપી

વાપીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિમાં સપ્તાહમાં વધુ બે બસ દોડશે

વાપી ડેપોથી સવારે 7:15 કલાકે બસ ઉપડશે : વલસાડ-અંકલેશ્વર-રાજપિંપળા થઈ જશે : સાંજે 5:30 કલાકે વાપી આવવા નિકળશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12 ગુજરાત અને દેશભરના સહેલાણીઓ માટે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. તેથી મુસાફરોની માંગણી અનુસાર વાપી ડેપો દ્વારા વાપીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ માટે સપ્તાહમાં શનિ-રવિએ વધુ બે બસ કાર્યરત કરવામાં આવી છે.
વાપી ડેપોથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ જવા માટે બસ સવારે 7:15 કલાકે ઉપડશે. આ બસવલસાડ, સુરત, અંકલેશ્વર રાજપિંપળા થઈ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ પહોંચશે, ત્‍યાંથી સાંજે 5:30 કલાકે બસ વાપી આવવા ઉપડશે તે મોડી રાતે વાપી આવી પહોંચશે. વલસાડ જિલ્લાના સ્‍થાનિક ટુરિસ્‍ટ અને સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નિરંતર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિના પ્રવાસો યોજાતા રહે છે. તેથી વધુ એસ.ટી. બસ સેવાની મુસાફરો દ્વારા વારંવાર માંગ ઉઠતા વાપી ડેપો દ્વારા વધુ બે ટ્રીપ શનિ-રવિ એ સપ્તાહમાં બે વાર કાર્યરત કરી દેવાઈ છે. તેવુ જાણવા મળ્‍યુ છે.

Related posts

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

vartmanpravah

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

વલસાડમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈઃ સેંકડો હરિભક્‍તો જોડાયા

vartmanpravah

ફડવેલ ગામે જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયતનું મકાન હાડપિંજર અવસ્‍થામાં: કામકાજ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment