Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: મંત્રોમાં શક્‍તિ છે જ જો આમ્‌નાય-આમયા સાથે કે આસ્‍થા સાથે થતો મંત્ર જાપ ઈચ્‍છા પ્રમાણે ફળ દે. પણ… ઈચ્‍છાપૂર્તિ હકિકતમાં અંતે તો પીડા જ દે. કેમ કે ઈચ્‍છા જન્‍મ આપીને જનારૂં તત્ત્વ છે. ઈચ્‍છા બીજી ઈચ્‍છા જગાડશે. એટલે અંતેતો અતૃપ્ત મન રહે. શાશ્વત તો નવકાર એ ઈચ્‍છાપૂર્તિ પણ કરે ને ઈચ્‍છા મુક્‍તિ પણ દે. એટલે જ એ મહામંત્ર છે.
ભીલાડ જૈન સંઘમાં પૂજ્‍યપાદ રાળપટ્ટીના ઉપકારી-ધર્મદાતા ગુરૂદેવ આચાર્યશ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજાની પધરામણીને વધાવવા શ્રી સંઘને યુવાનો ભાઈ-બહેનો ઉમટયા હતા. બપોરે 2.45 ક. દર મહિને ગુરૂ નિશ્રામાં થતા મહામંત્રી શ્રી નવકાર પુષ્‍પજાપમાં ગુજરાત ને મુંબઈથી સાધકો ઉમટયા હતા ને રાડપટ્ટીથી ભાઈ-બેનો પધાર્યા હતા. 25 દિવસમાં 10 લાખ નવકાર મંત્રના જાપ કરવા-કરાવવાનો ચડાવો લઈ રેકોર્ડ કર્યો હતો ને ભિલાડ-સરીગામ રોડ સ્‍થિત શ્રી ગૌતમલબ્‍ધિ ધર્મ સંકુલમાં નિર્માણ પામતા આખી રાળપટ્ટીમાં પાલઘર-મનોરથ લગાવી વાપી-વલસાડ સુધીમાં સૌપ્રથમ વાર 22માં તિર્થકર-ગઢ ગિરનાર મંડન શ્રી નેમિનાથ દાદાના શિખરબંધ જિનાલયનું ભૂમિપૂજન-ખનન મુહૂર્ત તા.30 મે ના થશે ની ઉદ્‌ઘોષણા થઈ હતી ને ખાતમુહૂર્તના ચક્રાવાની શરૂઆત થઈ. જેનો આદેશ તા.28મે ના રવિવારે 9.15 ક. જાહેર પ્રવચન દરમ્‍યાન સરીગામ જૈન સંઘમાં ઉપાશ્રયમાં અપાશે. આજે ફણસા પ્રવેશ સવારે 7.30 ક. પ્રવચન તા.25ના સવારે 7.30 ક. જાહેર પ્રવચન સંઘ નવકારશી થશે. તા.28ના સરીગામ પ્રવેશ-પ્રવચન આસાલે ઉમરગામ ચોમાસામાં થનારા સિધ્‍ધિતપની જાહેરાત થઈ હતી. સાંજે ભક્‍તિ યોગાચાર્ય શ્રી યશોવિજયસૂ. મ.નું મિલન થયું.

Related posts

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની મુદત વધારાઈ

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ડો.કે.સી.પટેલની અધ્‍યક્ષતામાં ભાજપના સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: આદિજાતિના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડની યોજનકીય સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોન કાઉન્‍સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્‍ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્‍તારઃ કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

Leave a Comment