કાર્યશાળા યોજવાનો હેતુ આધાર પરિસ્થિતિ તંત્રનો વિસ્તાર કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17: આધાર પરિસ્થિતિ તંત્રનો વિસ્તાર કરવા અને લોકોમાં જાગરૂકતા લાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળપપત્ર પ્રાધિકરણ યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય,મુંબઈ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક કાર્યશાળાનું આયોજન, સેલવાસના કલા કેન્દ્ર ખાતે આવતી કાલ તા. 18મી ઓક્ટોબરના રોજ સવારે 11:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા દરમ્યાન આયોજીત કરવામાં આવનાર હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આધાર પરિસ્થિતિ તંત્રનો વધુ વિસ્તાર કરવા અને લોકોમાં આધાર પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળપપત્ર પ્રાધિકરણ યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય, મુંબઈ દ્વારા દાનહના સેલવાસ ખાતેના કલા કેન્દ્ર ખાતે એક કાર્યશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યશાળામાં દરેક સચિવ, સંયુક્ત સચિવ, નિર્દેશકો અને દરેક કાર્યાલયના પ્રમુખો ઉપસ્થિત રહેશે.
Previous post