December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વાપીમાં મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી સન્‍માનિત કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: ભાજપ મહિલા મોરચા વલસાડ જિલ્લા દ્વારા રોફેલ એમ.બી.એ. કોલેજ, ગુંજન, જીઆઈડીસી વાપી ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’ કાર્યક્રમ પ્રદેશનીસૂચના અનુસાર યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં સમાજમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્‍ટ સેવાકીય યોગદાન આપનાર મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’ આપી સન્‍માનિત કરવામાં આવી હતી.
વાપી રોફેલ કોલેજમાં યોજાયેલ સન્‍માન કાર્યક્રમમાં વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, બી.જે.પી. મહિલા મોરચા જિલ્લા મહામંત્રી ગીતાબેન પટેલ છીરી પંચાયતના ડે.સરપંચ અરૂણાબેન દેસાઈ, ફાલ્‍ગુનીબેન મહારાજ સહિત ભાજપ મહિલા મોરચાની બહેનો ઉપસ્‍થિત રહી હતી. પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહના હસ્‍તે મેરેથોન ગલ્‍સ માધુરી પ્રસાદને શિલ્‍ડ આપી સન્‍માન કરાયું હતું. સુષમા સ્‍વરાજ એવોર્ડ સમાજમાં ખાસ વિશિષ્‍ટ મહિલા પ્રતિભાઓને એનાયત કરવામાં આવે છે તે માટે મેરેથોન ગલ્‍સ માધુરી પ્રસાદની પસંદગી કરવામાં આવી હતી.
ઉપરોક્‍ત કાર્યકમમાં જિલ્લા મહિલા મોરચાનાં પ્રમુખ પ્રવિણાબેન પટેલે સ્‍વાગત પ્રવચન કરેલ, મહામંત્રી ગીતાબેન પટેલ, વાપી ન.પા. પ્રમુખ કાશ્‍મીરાબેન શાહ, એડવોકેટ રશ્‍મિકાબેન વિગેરેએ પ્રાસંગિક ઉદબોધન કરેલ, અરુણાબેન પટેલ, સહિત મહિલા મોરચાનાં પદાધિકારીઓ, સહિત ખૂબ મોટી સંખ્‍યામાં મહિલાઓ ઉપસ્‍થિત રહી કાર્યકમને સફળ બનાવેલ, આભારવિધિ મહામંત્રી અલકાબેન દેસાઈ કરી હતી.

Related posts

અતુલ હાઈવે ઉપર સુરત મહાનગર પાલિકાના કર્મચારી સહિત કારમાં દારૂનો જથ્‍થો લઈ જતા બે ઝડપાયા

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સુંઠવાડ પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડી અન્‍ય એકને વોન્‍ટેડ જાહેર કર્યો

vartmanpravah

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ મરવડમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

Leave a Comment